________________
વ્યકિતત્વની વ્યુહરચના ૨૧ પહેલાં આપણે આ વાતને પતાવીએ કે સ્નાયુઓની જે આદત બની ગઈ છે, મન અને વાણીની જે આદત બની ગઈ છે, જે બાહ્ય પ્રભાવોથી તાત્કાલિક પ્રભાવિત થઈ જાય છે તેમને ઉપશમનની પ્રક્રિયા દ્વારા એ પ્રભાવોથી બચાવીએ અને જે આદતો પડી છે તે આદતોથી બચીએ. આ કામ પહેલું છે. બીજું કામ હશે કે ભીતરના આદેશ ત્યાં સુધી ન પહોંચે. તેને સમાપ્ત કરી દઈએ, ક્ષીણ કરી દઈએ.
આપણી સાધનાની સાથે ઉપશમન અને ક્ષયની પ્રક્રિયા જોડાય છે ત્યારે સાધનામાં વિકાસ થાય છે અને આપણે જે લક્ષ્ય સાથે ચાલીએ છીએ તે લક્ષ્ય તરફ આગળ વધવામાં અવશ્ય સફળ બનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org