SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આભામંડળ આદેશોને ક્રિયાન્વિત કરવાનું. એ પ્રમાણે વાણી પણ આદેશોને ક્રિયાન્વિત કરે છે અને શરીર પણ આદેશોને ક્રિયાન્વિત કરે છે. ક્રિયાન્વિતિનાં આ ત્રણેય સાધનો છે, જ્ઞાનનાં નહિ. જ્ઞાન-તંત્ર ચિત્તતંત્ર સુધી સમાપ્ત થઈ જાય છે. ભાવ-તંત્ર લેશ્યા-તંત્ર સુધી સમાપ્ત થઈ જાય છે. એ બંનેના આદેશોને ક્રિયાન્વિત કરવા માટે ક્રિયાતંત્ર સક્રિય થાય છે. તેના ત્રણ સૈનિક છે: મન, વચન અને શરીર. આ ત્રણેય કામ કરે છે. મનનું કામ છે-યાદ કરવું, કલ્પના કરવી, ચિંતન કરવું. આ ત્રણેય કામ એક સરસ કૉમ્પ્યુટર પણ કરી શકે છે. ત્યારે મન અને કૉમ્પ્યુટરમાં તફાવત જ કયાં રહ્યો? મને લાગે છે કે તેમાં કોઈ તફાવત નથી. કેટલાક લોકો કહે છે કે જે કામ મન કરે છે તે કામ એક કૉમ્પ્યુટર પણ કરે છે, તો પછી આત્માના અસ્તિત્વનો અર્થ જ કયાં રહ્યો? ઉચિત છે આ પ્રશ્ન. આપણે જો મનને જ વાસ્તવિક માની લઈએ તો પછી આત્માના અસ્તિત્વની સાધના આપણા માટે સંભવ નથી. કારણ મન અને કૉમ્પ્યુટરમાં કોઈ વિશેષ તફાવત જણાતો નથી. તફાવત માત્ર આટલો જ છે કે કૉમ્પ્યુટર માણસે બનાવ્યું છે અને મનનું નિર્માણ અતિ સૂક્ષ્મ શરીરે કર્યું છે. આ અતિ સૂક્ષ્મ શરીર ખૂબ જ શક્તિશાળી કુશળ કારીગર છે તેથી તે આટલા સૂક્ષ્મ અવચવ બનાવવામાં સક્ષમ બન્યું છે. માણસ એટલા સૂક્ષ્માતિસૂક્ષ્મ અવયવ નથી બનાવી શકતો. બસ આટલો જ તફાવત છે મન અને કૉમ્પ્યુટરમાં. ઘણું જ ગૂંચવણભર્યું છે આપણું મસ્તક. આપણું મન અને મગજ ખૂબ જ ગૂંચવણભર્યાં છે. માણસ તેનું નિર્માણ કરવામાં સક્ષમ નથી. કેટલાય સૈકાઓ સુધી તેનું નિર્માણ કરવાની તે કલ્પના પણ નથી કરી શકતો. મગજ જેવા જટિલ અને સૂક્ષ્મ યંત્રનું તે નિર્માણ નથી કરી શકતો. કૉમ્પ્યુટર યાદ રાખી લે છે. તમામ વાતો તમને યાદ અપાવે છે. તમે કંઈ ભૂલ કરતા હો તો તમને તે સાવધાન પણ કરે છે. ગણિતના પ્રશ્ન ઉકેલે છે. કવિતા પણ કરે છે. વાત વિચારીને તેનો નિષ્કર્ષ પણ કાઢી આપે છે. ઉપાય બતાવે છે અને ભવિષ્યની યોજના પણ સમજાવે છે. જે ત્રણ ક્રિયાઓ મગજ કરે છે તે ત્રણેય ક્રિયાઓ કૉમ્પ્યુટર પણ કરે છે. આ સ્થિતિમાં આપણે મનને ઘરું મહત્ત્વ આપીને ચાલીએ છીએ તોપણ મનના આધાર પર આત્માને સ્થાપિત નથી કરી શકતા. મન ક્રિયાતંત્રનું એક અંગ છે. કર્મચારી છે એ. તેનું કામ છે આદેશોનું પાલન કરવાનું. તે ન સારું કરે છે ન ખરાબ. સારા કે ખરાબની જવાબદારી માલિકની હોય છે, નોકર્મચારીની નહિ. મન તો એક નોકર છે. તેનું કામ છે માલિકના હુકમનું પાલન કરવાનું. તેને કહ્યું કે આ લઈ આવ અને ત્યાં પહોંચાડી દે. એ લઈ આવે છે અને ત્યાં પહોંચાડી આવે છે. સારા-ખરાબની જવાબદારી તેના પર નથી. છતાંય તમામ દોષનો ટોપલો મન ઉપર ઢોળવામ આવે છે, એ જ સામે આવે છે. કામ કરનાર જ સીધો નજરે ચડે છે. આદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy