SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિત્વની ભૂહરચના ૧૫ આ તથ્યને સમજાવવા બે ઉદાહરણ અપાયાં. એક છે સંજ્ઞીનું ઉદાહરણ અને બીજું છે અસંજ્ઞીનું ઉદાહરણ. અસંજ્ઞીના ઉદાહરણનું ઘણું મહત્ત્વ છે. તે અધ્યવસાયની બધી સ્થિતિને સ્પષ્ટ કરે છે. વનસ્પતિનો એક જીવ છે. તેને ન મન છે, ન વચન. માત્ર શરીર છે તેને. એ જીવ સતત સૂતેલો રહે છે. તેને માટે ન કોઈ દિવસ હોય છે, ન કોઈ રાત. તેના માટે રાત જ રાત છે. એ જીવ માત્ર સૂતેલો ને સૂતેલો જ રહે છે. મનશૂન્ય અને વચનશૂન્ય વનસ્પતિનો આ જીવ પણ અઢાર પાપોનું સેવન કરે છે. તેને પણ અઢાર પાપોના સેવનથી થતો કર્મબંધ થાય છે. આમ શાથી થાય છે? આ એટલા માટે થાય છે કે એ જીવને અધ્યવસાય હોય છે. અસંખ્ય અધ્યવસાય હોય છે. આ અધ્યવસાય વિશુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારના હોય છે. અશુદ્ધ અધ્યવસાય હોય છે જેથી તેને કર્મબંધ થાય છે. હિંસાજન્ય કર્મનો બંધ થાય છે અને પરિગ્રહજન્ય કર્મનો પણ બંધ થાય છે. આ પ્રકારે ક્રોધ, માન, માયા અને લોભજન્ય કર્મોનો પણ બંધ થાય છે. એ જીવ પોતાના શત્રુઓની હિંસા કરે છે એથી તેને હિંસાન્ય કર્મોનો બંધ થાય છે. મૂંઝવી મારે એવી વાત છે. શું આ શક્ય છે? હા, શક્ય છે આ. આપણે આજના વિજ્ઞાનનો પણ વિચાર કરીએ. આપણે મન, મગજ અને વાણીને ઘણું મહત્ત્વ આપ્યું છે, પરંતુ આપણા જ્ઞાનનો સૌથી મોટો સ્ત્રોત છે, અધ્યવસાય. અધ્યવસાય પછી જે જ્ઞાન થાય છે, શારીરિક દૃષ્ટિએ, તો ત્યાં જ્ઞાનનો મોટો સ્ત્રોત છે. આ છે આપણી કોષિકાઓ. જે જીવોને મગજ નથી હોતું, મન નથી હોતું, તેમની બધી કોષિકાઓ જ્ઞાન ધરાવે છે. વનસ્પતિના જીવી જેટલા સંવેદનશીલ હોય છે, માણસ તેટલો સંવેદનશીલ નથી હોતો. વનસ્પતિમાં અધ્યવસાયનું સીધું પરિણામ હોય છે આથી એ જીવોમાં જેટલી ઓળખની, સ્મૃતિની અને બીજાના મનોભાવ જાણવાની જેટલી ક્ષમતા હોય છે તેટલી ક્ષમતા ઘણાંબધાં માણસોમાં નથી હોતી. વૈજ્ઞાનિક વેકસ્ટને વનસ્પતિ પર અનેક પ્રયોગ કર્યા છે. તેણે એક પ્રયોગ આ કર્યો. એણે કાગળના છ ટુકડા લીધા. પાંચ ટુકડા પર કંઈ જ ન લખ્યું. છઠ્ઠા ટુકડા પર લખ્યું: ‘આ રૂમમાં જે બે છોડ છે તેમાંથી એક છોડને ઉખાડીને ફેંકી દેવો, નાશ કરવો એ છોડનો. પગથી તેને મસળી નાખવો...' પછી એણે આ છએ ટુકડાને રૂમમાં મૂક્યા. અને છ માણસોને આંખ પર પાટા બાંધીને, કહ્યું: ‘રૂમમાં જાઓ અને કાગળનો એક એક ટુકડો ઉપાડી લો.’ છયે માણસ રૂમમાં ગયા. હાથમાં જે ટુકડો આવ્યો તે દરેકે ઉપાડી લીધો. એકના હાથમાં પેલો લખેલો ટુકડો આવ્યો. છ જણાની આંખ પરનો પાટો ખોલવામાં આવ્યો. દરેકે પોતપોતાનો કાગળ જોયો, પાંચના કાગળ કોરા હતા. છઠ્ઠા કાગળ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy