________________
૧૪ આભામંડળ
એ ચેતન તત્ત્વની બહાર કષાયનું વર્તુળ છે. કષાયનું તંત્ર એટલું મજબૂત છે કે તે આત્મા પર પોતાનું શાસન જમાવીને બેઠું છે. જોકે ચેતન તત્ત્વને શાસકનું સ્થાન મળ્યું છે, છતાં પણ એ શાસકનો સેનાપતિ કષાય એટલો બળવાન છે કે તેની ઇચ્છા વિના શાસક કશું નથી કરી શકતો. એ સેનાપતિ જે નિર્ણય લે છે, તેને શાસકે વધાવી લેવો પડે છે. ચેતન તત્ત્વ અને કષાય તત્ત્વ વચ્ચે એક સમજૂતી છે. કષાય-તંત્રનો એક સ્પષ્ટ નિર્દેશ છે કે ચૈતન્યનાં સ્પંદન જે કષાય-વર્તુળને વીંધીને બહાર જાય તો એ શુદ્ધ તો જ રહી શકે કે જો એ માત્ર શેય પ્રતિ જાય. શેય સિવાય જો તે સ્પંદનો બીજે કયાંક જાય તો તે કષાયતંત્રની છત્રછાયામાં જ જઈ શકે, બીજે કયાંય નહિ. ચૈતન્યનાં જે અસંખ્ય સ્પંદન બહાર નીકળે છે તે કષાયતંત્રને ઓળંગીને — અતિસૂક્ષ્મ શરીરને વટાવીને બહાર આવે છે. તેમનું એક સ્વતંત્ર તંત્ર બની જાય છે. આ તંત્ર છે, અધ્યવસાયનું તંત્ર. આ તંત્ર તૈજસ શરીરની સાથેસાથે સક્રિય બનીને કામ કરે છે.
--
જે લોકોએ આત્માને જાણ્યો, આત્માનો સાક્ષાત્કાર કર્યો, સૂક્ષ્મતામાં ગયા, એઓએ મનને કયારેય મહત્ત્વ નથી આપ્યું. હમેશાં અધ્યવસાયને જ તેઓએ મહત્ત્વ આપ્યું છે. આ એક એવું બિંદુ છે કે જ્યાંથી આત્માને શરીરથી અલગ કરી શકાય છે અને તેના સંબંધ અને અસંબંધની વ્યાખ્યા કરી શકાય છે. માણસને મન હોય છે. વિકાસશીલ પ્રાણીઓમાં મન હોય છે. જેમનામાં સુષુમ્ના છે, મસ્તિષ્ક છે તેમનામાં મન હોય છે. દરેક જીવમાં મન નથી હોતું, પરંતુ અધ્યવસાય તો બધા જ જીવોમાં હોય છે. વનસ્પતિમાં પણ અધ્યવસાય હોય છે. એકેન્દ્રિય જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધી બધા જ જીવોમાં અધ્યવસાય હોય છે, પરંતુ મન બધા જ જીવોમાં નથી હોતું. જેને મન હોય છે તેને પણ કર્મબંધ થાય છે અને જેને મન નથી હોતું તેને પણ કર્મબંધ થાય છે. સૂત્રકૃતીંગ સૂત્રમાં એક મજાની ચર્ચા છે:
એક માણસ રાતના ઊંધી ગયો છે. તેનું સ્થૂળ મન નિષ્ક્રિય છે. એ એટલો બધો ઘસઘસાટ ઊંઘમાં છે કે તે સ્વપ્ન પણ નથી જોતો, છતાં પણ તેને હિંસાનો કર્મબંધ થઈ રહ્યો છે. ઘણો જ મહત્ત્વપૂર્ણ છે આ ઉલ્લેખ. એક તરફ આપણે કહીએ છીએ કે મન સક્રિય હોય છે ત્યારે કર્મનો બંધ થાય છે. અને જે માણસ ગાઢ ઊંઘમાં છે, તેનું મન અવ્યક્ત છે. સ્થૂળ ચેતના અવ્યક્ત છે, સ્વપ્ન પણ નથી આવતાં, છતાં પણ કર્મનો બંધ થઈ રહ્યો છે અને તે પણ હિંસાના કર્મનો બંધ થઈ રહ્યો છે. જો તેનો દૃષ્ટિકોણ મિથ્યા હોય તો ન માત્ર હિંસાના કર્મનો બંધ થાય છે, પરંતુ અઢાર પાપોનો પણ બંધ થાય છે. આ સાંભળીને શિષ્યે પૂછ્યું: ‘ભન્તે! આ કેવી રીતે બની શકે કે સૂતેલો માણસ — ઊંઘતો માણસ કર્મબંધ કરે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org