________________
બે . . .
સંસારમાં બે તત્ત્વ છે: એક છે ચેતન, બીજે છે અચેતન; એક છે જીવ, બીજ છે અજીવ. જીવ ચેતન છે અને શરીર છે અચેતન. કેટલાક માત્ર શરીરને જ માને છે, માત્ર અજીવ કે અચેતનનો જ સ્વીકાર કરે છે. તેઓ ચેતન કે જીવની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર નથી કરતા. આવો મતમતાંતર શાથી? વિચાર કરતાં આ તથ્ય સ્પષ્ટ થાય છે કે જે લોકોએ ચિત્તા સુધીની યાત્રા કરી છે, તેનાથી આગળ જેઓ જઈ શક્યા નથી તેઓએ આત્માનો સ્વીકાર નથી કર્યો. ચિત્ત સુધી પહોંચનાર આત્માને સ્વીકૃતિ નહિ આપી શકે. તેને આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માન્ય નહિ થાય. પરંતુ જે લોકોએ ચિત્તની પાર યાત્રા કરી, ચિત્તથી પણ આગળ વધ્યા, તેઓએ આત્માનો સ્વીકાર કર્યો. આત્માને માન્યો.
એક છે અધ્યવસાય. બીજે છે ચિત્ત. ચિત્ત સુધીની યાત્રા શરીર સંબદ્ધ યાત્રા હોય છે. અધ્યવસાય સુધીની યાત્રા શરીરથી પર ને પારની યાત્રા હોય છે. આપણે જ્યારે અધ્યવસાય સુધી પહોંચીએ છીએ ત્યારે ને ત્યાં આપણો સંબંધ શરીરથી છૂટી જાય છે. શરીર બાજુ રહી જાય છે અને અધ્યવસાય પેલી બાજુ. શરીર અને અધ્યવસાયનો કોઈ સંબંધ નથી.
આત્મવાદી દર્શન આત્મા અને શરીરને અલગ અલગ માને છે, બે માને છે. બે માનવાથી બંને વચ્ચે સંબંધ કેવી રીતે હોઈ શકે? એવું કયું બિંદુ છે કે જ્યાં શરીર અને આત્મા એકમેકને મળે છે, જોડાય છે? આ બિંદુ શોધવું જોઈએ. એની શોધના પરિણામે યાત્રા શરીરથી ઘણી આગળ વધી ગઈ. એ યાત્રાનાં તમામ બિદુઓને સમજ્યા વિના આત્મવાદી વ્યક્તિત્વને સમજી નથી શકાતું. શરીરવાદી વ્યક્તિત્વ ઈન્દ્રિય, મન અને ચિત્ત સુધી જઈને અટકી જાય છે, ત્યાંથી આગળ વધતું નથી. આત્મવાદી વ્યક્તિત્વની ભૂહરચના ઘણી જટિલ છે. સ્થૂળ શરીર, ઇન્દ્રિયો, મન, ચિત્ત, અધ્યવસાય, કષાયનું વર્તુળ અને પાછું ચેતન- પાછો આત્મા. આપણે આત્માને લઈએ.
કેન્દ્રમાં એક ચેતન તત્વ છે. આપણે તેને દ્રવ્યાત્મા – મૂળ આત્મા કહીએ છીએ. આ મૂળ ચૈતન્યનું કેન્દ્ર છે. તેની પરિધિમાં અનેક તત્ત્વ કામ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org