________________
વ્યક્તિત્વનાં બદલતાં રૂપો ૧૧
ક્રિયા થાય છે. તેથી પછી માયા વિફળ બનેં છે, લોભ વિફળ બને છે, જેટલી બીમારીઓ ઊભરવા ચાહે તે બધી વિફળ બની જાય છે. વિફળ કરવાની ચાવી હાથમાં આવી જાય છે ત્યારે, પહેલાં બધી ઉત્તેજનાઓને વિફળ કરી, ઉપશાંત કરીને પછી તેના ઉન્મૂલનનો પ્રયત્ન થઈ શકે છે અને ધીમે ધીમે તેનું ઉન્મૂલન થઈ પણ જાય છે.
પ્રેક્ષાનો ફાયદો આ વાતથી સમજી શકાય છે કે જેણે પોતાના શરીર પ્રત્યે જાગવાનું શરૂ કરી દીધું, જેણે ભીતરથી આવતા પ્રવાહને રોકી દીધો, તે ઉપશમનની ક્રિયા કરતો કરતો એ બધી જ બૂરાઈઓને ક્ષીણ કરવાની સ્થિતિ સુધી પહોંચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org