________________
૧૦ આભામંડળ આ ઘાતક છે. આપણે જે સ્થિતિમાં વાણીનો જેવો ઘાટ ઘડ્યો, તે પ્રકારની ઘટના ઘટિત થઈ જાય છે. ક્રોધ ચડી આવ્યો અને તમારી ઇચ્છા વિરુદ્ધ એવા શબ્દો નીકળી જાય છે કે જે અણગમતા હોય છે. ક્યારેક ક્યારેક મનની ઈચ્છા ન હોવા છતાં પણ અઘટિત બની જાય છે. મન જ જો સર્વસ્વ હોત તો આવું ક્યારેય ન બની શકે. મનનું જ એકચક્રી સામ્રાજ્ય હોય તો તેની વિરુદ્ધ કશું જ ન થાય. પણ એવું નથી. મનનું, વાણીનું અને શરીરનું પોતપોતાનું સ્વતંત્ર તંત્ર છે.
પ્રાણશક્તિઓ દસ છે. તેમાં એક છે, મન: પ્રાણશક્તિ. આ એક કિરણ છે. જેમ મનની પ્રાણશક્તિ છે તેમ વાણીની પ્રાણશક્તિ છે અને કાયાની પ્રાણશક્તિ છે. કોઈ એકને ઓછુંવનું મહત્ત્વ નહિ આપી શકાય.
ભીતરથી જે આવે છે તે સર્વ પ્રથમ નાડી-તંત્રમાં ઊતરે છે. એક બીજી બાબત પણ છે. મન એકલું કશું નથી કરી શકતું. મનની ક્રિયા ત્યારે થાય છે જ્યારે તેને મગજનો સહયોગ મળે છે.
શરીર એટલા માટે મુખ્ય અને પ્રધાન છે કે બહારથી જે ભીતર જાય છે તે પણ કાયા દ્વારા – શરીર દ્વારા જાય છે અને ભીતરથી જે બહાર આવે છે તે પણ શરીર દ્વારા બહાર આવે છે. આ શરીર ભીતર અને બહાર જવાનું માધ્યમ છે. ભીતર બે મહાસાગર છે: એક છે અનતર્જગત અને બીજું છે બાહ્ય જગત. શું આ બંને ભીતર જન્મ્યાં છે? ના. એ બહારથી ભીતર ગયાં છે. બધી જ નદીઓનું પાણી બહારથી અંદર ગયું છે. અને ધીમે ધીમે મહાસાગર બની ગયા. ભીતર જવાનું માધ્યમ હતું, શરીર. શરીરે આસવોને પોતાનામાં સમાવી લીધા અને એટલો બધો લાંબો સમય વીતી ગયો કે એ પાણી ભેગું થતું થતું મહાસાગરના રૂપમાં પરિણમી ગયું. શરીરે જ નદીઓનો સમાહાર કરીને પોતાનામાં મહાસાગરનું નિર્માણ કર્યું છે. આથી શરીર ઘણું જ મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. જે પ્રવાહ શરીરની બહાર જાય છે તે પણ શરીરના માધ્યમથી જ બહાર જાય છે અને જે પ્રવાહ ભીતર આવે છે તે પણ શરીરના માધ્યમથી. આથી આપણે જે આમ કહીએ કે “જાય ઘર મનુષ્કાળ, શાર સંયમો – શરીર જ બંધન અને બંધનમુક્તિનું કારણ છે, તો, એ વધુ યોગ્ય ગણાશે. સાથોસાથ આપણે આમ પણ કહીએ કે, “જાવ મનુષ્ય પર વંધાવો.” અને “જન વિ જગ્ગા જળ સંઘનાથ:' – ત્રણેયનો સંયોગ કરવાથી વાત પૂરી બનશે.
આપણે જો શરીર પ્રત્યે સજાગ થઈ જઈએ, એ મૂર્છાને તોડી નાખીએ, નાયુતંત્ર પર નિયંત્રણ મેળવી લઈએ, તેમાં ઊઠતા ઉત્તેજનાઓ અને વાસનાઓના તરંગોને બદલી નાખીએ તો ઘણું મહત્ત્વનું કાર્ય બને છે. ઉપશમનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org