________________
૮ આભામંડળ
માણસ શાંત બેઠો છે. અચાનક તેને ક્રોધ આવ્યો. ક્રોધના એ તરંગો સ્નાયુઓ પર નથી દોડતા ત્યાં સુધી માણસ ક્રોધને અભિવ્યક્ત નહિ કરે. ભીતર ગમે તેટલો પ્રબળ ક્રોધ જાગે, પરંતુ સ્નાયુઓમાં જો તે ન ઊતરે તો એ ક્રોધ ભીતર ને ભીતર જ રહેશે, બહાર પ્રકટ નહિ થાય. ક્રોધ ત્યારે જ પ્રકટ થાય છે જ્યારે નાયુઓનો તેને સાથ મળે, નાડી-તંત્રનો તેને સહકાર મળે. નહિ તો એ અંદર જ સમાપ – શાંત થઈ જાય છે.
ઘણું મોટું મૂલ્ય છે શરીર-પેક્ષાનું. તેને તમે જાણો, સમજો. શરીર-પ્રેક્ષા કરનાર સાધક શરીર પ્રત્યે સજાગ થઈ જાય છે. માણસ શરીર પ્રત્યે સજાગ ને સાવધ થઈ જાય છે ત્યારે એ શરીરનાં હજાર મુખ્ય કેન્દ્રો પ્રત્યે, સંવેદનબિંદુઓ પ્રત્યે જાગ્રત થઈ જાય છે. શરીરમાં હજારો મર્મસ્થળ છે. એ સાધક તે બધાં મર્મસ્થળો પ્રત્યે જાગ્રત થઈ જાય છે. આ મર્મસ્થળો શક્તિઓના આદાન-પ્રદાનનાં માધ્યમ છે. તે શક્તિઓને અભિવ્યક્તિ આપે છે. તે વૃત્તિઓને પ્રકટ કરે છે. શરીરમાં ક્રોધની અભિવ્યક્તિનું એક ચોક્કસ બિન્દુ છે. ક્રોધ આવતાં શરીરમાં ઉત્તેજના જનમશે, એક લહેર દોડશે અને યોગ્ય બિન્દુ ઉપર પહોંચી તે ક્રોધ-સંવેદનના રૂપમાં બદલાઈ જશે અને તે શારીરિક રૂપ ધારણ કરશે. આંખો ત્યારે લાલ થશે. હોઠ ફફડશે. અવાજ તરડાઈ જશે. આપણે જો શરીર પ્રત્યે સજાગ થઈ જઈએ, તેના સ્નાયુઓ પર કાબૂ મેળવી લઈએ, અને તેને ભીતરના આવેગોની સાથે અસહકાર કરવાનો આદેશ આપીએ તો ભીતર કેટલી પણ વૃત્તિઓ છોને છલકાય-ઊભરાય, તે બહાર ક્યારેય નહિ આવે. આ ઉપશમનની પ્રક્રિયા છે.
બે પ્રકારની પ્રક્રિયા છે: એક છે ઉપશમનની અને બીજી છે ક્ષયની પ્રક્રિયા. ક્ષયની પ્રક્રિયાથી ભીતરના સંકલેશ ખત્મ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. ઉપશમનની પ્રક્રિયામાં અંકલેશ સંપૂર્ણ ખત્મ નથી થતો, ઉપશાંત થાય છે. ઉપશમનની પ્રક્રિયા પણ જરૂરી છે. ઉપશમનની પ્રક્રિયા શીખવામાં ન આવે, આવનાર ઉત્તેજનાઓને નિષ્ફળ બનાવવાનું જાણી ન લેવાય ત્યાં સુધી ક્ષય કરવું મુશ્કેલ બને છે. પહેલું જરૂરી એ બને છે કે એક વખત બીમારીને, રોગને શાંત કરી દેવો, વેદનાને ઘટાડી દેવી. પછી લાંબા સમય સુધી રોગને જડમૂળથી મટાડવાની પ્રક્રિયા કરવામાં આવે તો રોગ સમૂળો દૂર થઈ શકે છે. રોગ ભયંકર બન્યો હોય, માથું ફાટફાટ થઈ રહ્યું હોય, એવા સમયે કહેવામાં આવે કે તમે લાંબી પ્રક્રિયા કરી. ત્રણ મહિના સુધી પ્રક્રિયા ચાલુ રાખો તો તમારો રોગ તળિયાઝાટક નાબૂદ થઈ જશે. પણ માણસમાં એટલી લાંબી ધીરજ ક્યાં હોય છે. એ તો રોગનું ઝડપી ઉપશમન કરીને પીડા એકદમ ઓછી કરી દેવા ઇચ્છે છે. જ્યારે વેદના શાંત થઈ જાય છે ત્યાર પછી લાંબી સારવારથી રોગનો સમૂળો નાશ કરી શકાય છે. આમ ઉપશમનની પ્રક્રિયા ઘણી જ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org