SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ લયા: એક વિધિ રસાયણ-પરિવર્તનની ૧૮૧ તે સૌ માટે જરૂરી છે. શ્રાવક માટે જરૂરી છે તો સાધુ માટે પણ જરૂરી છે. આ વિનય કોઈ બીજા પ્રત્યે નહીં, પોતાના પ્રત્યે હોય છે. ઔપચારિક વિનય બીજા પ્રત્યે કરવામાં આવે છે. સાધ્વી મને હાથ જોડે છે. આ ઉપચાર છે અને હું સાધ્વીને હાથ જે તે પણ ઉપચાર છે. આ જૂઠો ઉપચાર, જઠી ઔપચારિકતા લાંબા સમય સુધી ટકાવી શકાય છે. કયારેય આંખ નથી મળતી પણ મળે છે ત્યારે હાથ જરૂર જોડી દેવાય છે. આ લોકોપચાર છે. આ વિનયનું મોટું સૂત્ર નથી. આપણે તેને ઘણું મોટું સૂત્ર માની લીધું. આપણે વિનયની આ સીમામાં જ બધું વિચારીએ છીએ. આથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરીએ છીએ. વિનય અહંકારશૂન્યતાની પ્રક્રિયા છે. આ તમામ મદોથી – અભિમાનોથી પોતાને ખાલી કરવાની પ્રક્રિયા છે. જ્યાં આ પ્રક્રિયાનું સેવન થાય છે ત્યાં રાસાયણિક પરિવર્તન આપોઆપ થાય છે. સ્વાધ્યાય રાસાયણિક પરિવર્તનની સબળ પ્રક્રિયા છે. ધ્યાનથી પણ રાસાયણિક પરિવર્તન થાય છે. રાસાયણિક પ્રવૃત્તિનું ઘણું મોટું સૂત્ર છે, ધ્યાન. ધ્યાન દ્વારા આપણે એવાં રસાયણ પેદા કરીએ કે જે કષાયનાં રસાયણ તીવ્ર અનુભાવ લઈને આવી રહ્યાં છે તે બધાં રસાયણ મોળાં પડી જાય, તેમનું સામર્થ્ય ક્ષીણ થઈ જાય. તેમની શક્તિ અને તેમનું આક્રમણ નષ્ટ થઈ જાય. એ રસાયણ નવા અનુભાવ ઉત્પન્ન કરે. આપણે જ્યારે ચૈતન્ય-કેન્દ્રો પર ધ્યાન કરીએ છીએ, ચૈતન્ય-કેન્દ્રો પર બાઝેલી ચીકાશને સાફ કરીએ છીએ, તેને સ્વચ્છ દર્પણ જેવાં બનાવીએ છીએ તો ભીતરથી આપોઆપ કેટલાંક નવાં તત્ત્વો પ્રકટ થાય છે. જ્યાં સુધી આપણાં શૈતન્ય-કેન્દ્રો સ્વચ્છ નથી થતાં, ધૂંધળાં અને આવૃત રહે છે ત્યાં સુધી ભીતરનો પ્રકાશ બહાર નથી આવી શકતો. આપણે લોકો જ્ઞાનને જાણીએ છીએ, સુખને જાણીએ છીએ, પરંતુ આપણે એ જ્ઞાનને જાણીએ છીએ જે બહારથી મળે છે. આપણે એ જ્ઞાનથી પરિચિત છીએ જેને આપણું નાડીતંત્ર ઉદ્ઘાટિત અને પ્રેરિત કરે છે. આપણે એ જ્ઞાનથી જરા પણ પરિચિત નથી કે જેનો ઉદ્ભવ બહારથી નથી, જેનો સંબંધ મગજથી નથી, જેનો સંબંધ નાડીતંત્રથી નથી. આપણે એ જ્ઞાનથી જરાય વાકેફ નથી. આપણે સુખથી પરિચિત છીએ પરંતુ માત્ર એ સુખથી પરિચિત છીએ કે જે પદાર્થથી મળે છે. આપણે એ સુખથી પરિચિત નથી કે જે સુખ કોઈ પણ પદાર્થના ઉપભોગ વિના મળે છે. આપણે ન અંતર્નાનથી પરિચિત છીએ ન અંતર્ચેતનાથી. આપણે આંતરિક સુખાનુભૂતિ અને આધ્યાત્મિક સુખાનુભૂતિથી તદ્દન અનભિજ્ઞા છીએ. ચૈતન્ય-કેન્દ્રોના ધ્યાન દ્વારા આપણી વેશ્યાઓમાં પરિવર્તન થાય છે ત્યારે ભાવ-તંત્રમાં પરિવર્તન થાય છે. તેનાં રંગ, રસ, ગંધ અને સ્પર્શ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy