SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આભામંડળ B મહત્ત્વપૂર્ણ સૂત્ર છે! આજના રંગ વિજ્ઞાનમાં તેનું સંભાવી સૂત્ર આપણને ઉપલબ્ધ થાય છે. હમણાં મેં ‘કલર થેરાપી’નું એક પુસ્તક વાંચ્યું. તેમાં રંગના બે વિભાગ કરવામાં આવ્યા છે. એક છે આછો રંગ, બીજો છે ઘેરો રંગ. ફીકો રંગ અને ખૂલતો રંગ. એક છે ગરમ રંગ, અને બીજો છે ઠંડો રંગ, વલય છે નક્કર. રંગની ચાર છાયા હોય છે. ગરમ રંગ અને પ્રકાશમય છાયા, ગરમ રંગ અને અંધકારમય છાયા, પ્રકાશ ઠંડો અને અંધકાર ગરમ, આપણી ત્રણ લેશ્યાઓ ઠંડી અને લુખ્ખી હોય છે. કાળો, નીલો અને કબૂતરિયો – કાપોતી — આ ત્રણેય રંગ અને ત્રણેય રંગની વેશ્યાઓ ઠંડી અને લુખ્ખી હોય છે. માણસના મનમાં આ લેશ્માઓનાં સ્પંદન જાગે છે ત્યારે તેના મનમાં હિંસા, જૂઠ, ચોરી, ઈર્ષા, શોક, ધૃણા અને ભયના ભાવ જાગે છે. એ રંગ આ ભાવ ઉત્પન્ન કરે છે. કાળો રંગ ભયનું નિર્માણ કરે છે. કાળા રંગનાં સ્પંદન જાગે છે ત્યારે માણસને અનાયાસ જ ભયની અનુભૂતિ થવા લાગે છે, ભયનો ભાવ ત્યારે નિર્માણ થાય છે. તેજો-લેશ્યા, પદ્મ-લેશ્યા અને શુકલ-લેશ્યા – આ ત્રણેય લેશ્યાઓ ગરમ અને ચીકણી છે. તેનાં સ્પંદનો જાગે છે ત્યારે માણસના ભાવ નિર્મળ બને છે. અભય, મૈત્રી, શાંતિ, જિતેન્દ્રિયતા, ક્ષમા આદિ પવિત્ર ભાવોનું નિર્માણ થાય છે. ભાવ નિર્મળ અને પવિત્ર હોય છે ત્યારે વિચાર પણ નિર્મળ હોય છે. વિચારોનો સંબંધ કષાયો સાથે નથી. તેનો સંબંધ છે મગજ અને શાન સાથે. વિચાર, સ્મૃતિ, ચિંતન, વિશ્લેષણ, ચયન, નિર્ધાર - જ્ઞાનની આ જેટલી શાખાઓ છે તેમનો સબંધ મગજથી છે. જેટલા ભાવ છે તે બધાનો સંબંધ આપણી અંત:સ્રાવી ગ્રન્થિઓ સાથે છે. તેની અભિવ્યક્તિ માટે આપણા શરીરમાં બે તંત્ર છે. એક છે, ગ્રન્થિતંત્ર, બીજું છે, નાડી-તંત્ર: એક છે મગજ, બીજું છે કરોડરજજુ. ગ્રન્થિ-તંત્ર આપણા ભાવોનું નિર્માણ કરે છે, અને નાડી-તંત્ર વિચારોનું. પહેલો છે ભાવ, બીજો છે વિચાર. વિચારથી ભાવ નથી બનતો, ભાવથી વિચાર બને છે, જેવો લેશ્યાનો ભાવ હોય છે તેવો વિચાર બને છે. ભાવ અંતરંગ-તંત્ર છે અને વિચાર કર્મ-તંત્ર છે. આ કરનાર તંત્ર છે ભાવ. આથી આપણે વિચારો પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી. વિચારો પર તેઓ ધ્યાન આપે છે, જેઓ બહાર આથડે છે. જે ભીતરની યાત્રા કરી રહ્યો છે, જે ભીતર બેઠો છે તેને વિચાર પર ધ્યાન આપવાની જરૂર નથી. એ ભાવ પર ધ્યાન આપે. ભાવને નિર્મળ કરે. પ્રશ્ન થશે કે ભાવને કેવી રીતે નિર્મળ કરવા? તેની પ્રક્રિયા શું છે? ભાવોને નિર્મળ બનાવવાનો સૌથી સરળ ઉપાય છે, રંગોનું ધ્યાન કરવું. આ ઘણો જ મહત્ત્વનો ઉપાય છે. ભાવોને નિર્મળ બનાવવામાં ચીકણા રંગોનું ધ્યાન ઉપયોગી બની રહે છે. પીળો, સફેદ અને લાલ— આ ત્રણ રંગ ભાવ-શુદ્ધિનાં કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy