________________
લેશ્યા: એક વિધિ સારવારની ૧૬૯ અસ્તિત્વની વિસ્મૃતિ નથી હોતી. આ પ્રયોગમાં આપણે મનને જાગ્રત બનાવવા ચાહીએ છીએ અને જાગ્રત બનાવીએ છીએ. સમવૃત્તિ-શ્વાસ-પેક્ષામાં પણ મનને અત્યંત જાગ્રત રહેવું પડે છે. મનની જાગૃતિ ક્ષણ માટે પણ તૂટે છે તો તેની સાથોસાથ કમ પણ તૂટી જાય છે. મન અજાગ્રત હોય છે ત્યારે આ સંભવિત નથી કે માણસ એક નસકોરાથી શ્વાસ લે અને બીજા નસકોરાથી મૂકે. આ ક્રમ તૂટી જાય છે.
સંપૂર્ણ જાગૃતિનો પ્રયોગ છે. શરીર-પેક્ષા પણ પૂરી જાગૃતિનો પ્રયોગ છે. જેવો માણસ મચ્છમાં જાય છે, શરીર-પેક્ષાનો ક્રમ તરત તૂટી જાય છે. મન ઊંઘમાં ચાલ્યું જાય છે. શરીરનો અણુએ અણુ, ત્યારે જોઈ શકાય છે કે મન પૂરું જાગ્રત રહે. સાથોસાથ વિકલ્પશૂન્ય રહે. રાગદ્વેષના વિચારોથી ખાલી રહે, નિસ્ત રંગ રહે.
ચૈતન્ય-કેન્દ્રોની પ્રેક્ષાનો પ્રયોગ પણ જાગૃતિનો પ્રયોગ છે. ભાવને નિર્મળ રાખવાનો પ્રયોગ પણ જાગૃતિનો પ્રયોગ છે. ભાવ શુદ્ધ નથી હોતા તો વિચાર શુદ્ધ નથી હોતા, તો શરીર પણ શુદ્ધ નથી હોતું. આપણે વિચારોની ઝાઝી ચિંતા ન કરીએ. વિચારની ચિંતા મનોવિજ્ઞાનીઓ ઘણી કરે છે. એ તેમનો વિષય છે. પરંતુ અધ્યાત્મનો સાધક સૌથી પ્રથમ ભાવની ચિંતા કરે છે, વેશ્યાની ચિંતા કરે છે.
ભાવ અને વિચાર બે બાબત છે. બંને ભિન્ન છે. ભાવનો સંબંધ છે કષાયનાં સ્પંદનોથી અને વિચારનો સંબંધ છે મગજનાં આવરણોથી. આપણા સૂક્ષ્મ શરીરની અંદર બે પ્રકારનાં સ્પંદન સમાંતર રેખાએ ચાલે છે. એક છે મોહનું સ્પંદન, બીજું છે મોહના વિલયનું સ્પંદન. બંને સ્પંદન થાય છે અને તે ભાવ બને છે. કપાય જેટલા ક્ષીણ બનશે, મોહનાં સ્પંદન એટલાં જ નિર્વીર્ય બનશે, શક્તિશુન્ય અને નિષ્ક્રિય બની જશે. તે ખત્મ નહિ થાય પરંતુ તેની સક્રિયતા ઘટી જશે. તેનો પ્રભાવ તેની અસર ક્ષીણ થઈ જશે. મોહના વિલયનાં સ્પંદન શક્તિશાળી બનશે ત્યારે ભાવ મંગળમય અને શક્તિશાળી બનશે. કષાયનાં સ્પંદન ઓછાં થતાં જશે તેમ તેમ તેજે-લેશ્યા, પા-લેશ્યા અને શુકલ-લેશ્યાનાં સ્પંદન તેમ જ ભાવ શક્તિશાળી બનતાં જશે. મોહનાં સ્પંદન જેમ જેમ શક્તિશાળી થતાં જાય છે, નીલ અને કાપોત લેશ્યાનાં સ્પંદનો શક્તિશાળી થાય છે તેમ તેમ તેજ-લેશ્યા અને પદ્ય-શ્યાનાં સ્પંદનો ક્ષીણ થતાં જાય છે.
બે ધારાઓ છે. એક બાજુ ત્રણ કાળી વેશ્યાઓ છે, બીજી બાજુ ત્રણ પ્રકાશમય વેશ્યાઓ છે. મહાવીરે કહ્યું: ‘ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે અને ત્રણ અપ્રશસ્ત છે. ત્રણ વેશ્યાઓ લુખ્ખી છે અને ત્રણ વેશ્યાઓ ચીકણી છે. ત્રણ વેશ્યાઓ ઠંડી છે અને ત્રણ ગરમ છે. ભાવોને સમજવાનું કેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org