SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ આભામંડળ મન, આપણી ભાવના પણ ભીતરથી વહેતા પ્રવાહોના આધારે નાચવા લાગી જાય છે. પણ આમ કહીને આપણે સારા-ખરાબની જવાબદારીમાંથી છટકી નથી શકતા. વિચારણીય છે – ભીતરથી સંકલેશનો પ્રવાહ કેમ આવે છે? અસંકલેશનો પ્રવાહ શાથી આવે છે? ક્યારેક સંકલેશનો પ્રવાહ તો કયારેક અસંકલેશનો પ્રવાહ. આવું શાથી થાય છે? આનો જવાબ આપણે મેળવવાનો છે. એક ઘણો મોટો બંધ છે. તેના દરવાજા છે. દરવાજા ખોલવાથી પાણી બહાર વહે છે. દરવાજા બંધ રાખવાથી પાણી બંધની બહાર નથી આવતું. એ પાણી ભીતર જ રહે છે. આ પ્રકારે જ્યારે આપણે સંકલેશના દરવાજા ખોલીએ છીએ તો. અંકલેશનો પ્રવાહ બહાર આવવા લાગે છે અને જ્યારે આપણે અસંકલેશના દરવાજા ખોલીએ છીએ ત્યારે અસંકલેશનો પ્રવાહ બહાર આવે છે. અંકલેશને બહાર લાવનાર ‘હું છું અને અસંકલેશને બહાર લાવનાર પણ “હું છું. ‘હું' સિવાય મારાથી બીજું કોઈ ભિન્ન નથી. તેની જવાબદારી માણસ પર જ છે. તે ક્યારેક એક દરવાજો ઉઘાડે છે અને બીજો બંધ કરી દે છે. તો એ કયારેક બીજો ઉઘાડે છે અને પહેલો દરવાજો બંધ કરી દે છે. એ જ સંકલેશના અને અસંકલેશના પ્રવાહને બહાર લાવે છે. સારા-ખરાબ વિચારો, ભાવનાઓ અને આચરણો માટે માણસ પોતે જ જવાબદાર છે. જેના હાથમાં દરવાજો ઉઘાડવા અને બંધ કરવાની ક્ષમતા છે, તેની જ એ બધી જવાબદારી બની જાય છે. પછી એ જવાબદારીમાંથી છટકી શકતો નથી. રાવાલ આ છે: એ કઈ ચાવી છે કે જેનાથી સંકલેશના દરવાજાનું તાળું ખોલી શકાય, દરવાજો ઉઘાડી શકાય? એવી કઈ ચાવી છે કે જેનાથી અસંકલેશના દરવાજાનું તાળું ખોલી શકાય, દરવાજો ઉઘાડી શકાય? તમે વિચારતા હશો કે એવી ચાવી મળી જાય તો સંકલેશનો દરવાજે કદી કયારેય નહિ ઉઘાડીએ. તેને હરહંમેશ માટે બંધ જ રાખીશું અને અસંક્લેશના દરવાજાને સદાય માટે ખુલ્લો મૂકી દઈશું; તેને ક્યારેય બંધ નહિ થવા દઈએ. આવું થતાં જ ખરાબ વિચાર સમાખ, ખરાબ ભાવ સમાપ્ત અને ખરાબ આચરણ પણ સમાપ્ત. આવું થાય તે માટે તમે આતુર હશો. સ્વાભાવિક છે. તમારી આ આતુરતા, ખરેખર, સારી છે. સંક્લેશના દરવાજને ખોલવાની પણ એક ચાવી છે અને અસંકલેશના દરવાજાને ખોલવાની પણ એક ચાવી છે. બંનેની બે ચાવી છે. એવું ન બને કે તમે એ બંનેને આઘીપાછી કરી દો. બંનેનાં અલગ અલગ તાળાં છે. ચાવીઓ પણ બનેની જુદી જુદી છે. આપણે મૂચ્છની ચાવી લગાડીએ છીએ ત્યારે અંકલેશનું તાળું ખૂલી જાય છે અને ભીતરનો પ્રવાહ બહાર આવે છે. ત્યારે માણસ ખરાબ વિચારો, ખરાબ ભાવનાઓ અને ખરાબ આચરણોથી ભરાઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy