________________
વ્યક્તિત્વનાં બદલતાં રૂપો ૫
સૂક્ષ્મ જગત ન તો ઇન્દ્રિયોથી દેખાય છે, ન તો ચિંતનથી ઉપલબ્ધ થાય છે, ન તો એ બુદ્ધિથી ગ્રહણ થાય છે. તેને જાણવાનો એકમાત્ર ઉપાય છે – બધા જ દરવાજા બંધ કરી દેવા. ન ઇન્દ્રિયોના દરવાજા ખુલ્લા રાખવાના, ન તો મન કે બુદ્ધિના દરવાજા. એ બધાં જ બારીબારણાં બંધ કરી દેવાથી જ સૂક્ષ્મ જગત જોઈ શકાય છે, એ સિવાય નહીં. એ બધાંને બંધ કરી દેવાથી ભીતરની યાત્રા શરૂ થાય છે અને ત્યારે ખબર પડે છે કે ભીતર પણ ઘણું બધું છે. જે લોકોએ ભીતર પહોંચીને આ પ્રશ્નોનું સમાધાન કર્યું તે સાચે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાધાન છે.
માણસ નિર્ણય કરે છે કે તે ખરાબ ન વિચારે, ખરાબ ન કરે, પરંતુ એનો આ નિર્ણય તૂટી જાય છે. શાથી થાય છે આમ? આનો જવાબ મેળવવા આપણે પૂરા – સંપૂર્ણ વ્યક્તિત્વને જાણવું પડશે. વ્યક્તિત્વના ઊંડાણતમ સુધી જવું પડશે. ઊંડાણમાં ઊતરતાં આપણને જણાશે કે આપણી ભીતર બે મહાસાગર લહેરાઈ રહ્યા છે. એક છે, સંકલેશનો મહાસાગર, બીજો છે, અસંકલેશનો મહાસાગર.
આ મહાસાગરો એટલા વિશાળ છે કે તેની આગળ બીજા મહાસાગરો તો ખાબોચિયાં જેવા લાગે. આ મહાસાગર સતત નિરંતર સ્પંદિત છે. તેમનો અજય પ્રવાહ બહાર આવી રહ્યો છે. એક સાગરમાંથી સંકલેશનો પ્રવાહ બહાર આવી રહ્યો છે અને બીજા સાગરમાંથી અસંકલેશનો પ્રવાહ બહાર આવી રહ્યો છે. બંને પ્રવાહ બહાર આવે છે. અંકલેશનો પ્રવાહ બહાર આવે છે ત્યારે ખરાબની ચાહના ન હોવા છતાંય માણસનું મન ખરાબ વિચાર અને ભાવથી ભરાઈ જાય છે. અંકલેશનો પ્રવાહ બહાર આવે છે ત્યારે ખરાબ કાર્યની ઇચ્છા ન હોવા છતાં પણ ખરાબ કામ થઈ જાય છે. ઇચ્છા ન હોય તોપણ હાથોથી, પગથી, ઇન્દ્રિયોથી અને માંસપેશીઓથી ખરાબ કામ થઈ જાય છે. એમાં માણસનો શો વાંક-ગુનો? ના, માણસનો કોઈ વાંક-ગુનો નથી. તમામ વાંકગુનો છે સંકલેશના પ્રવાહનો કે જે બહાર આવે છે અને માણસને ખરાબ વિચાર કરવા, ખરાબ ભાવ કરવા અને ખરાબ કામ કરવા વિવશ બનાવી દે છે. જ્યારે અસંકલેશનો પ્રવાહ બહાર આવે છે ત્યારે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોય સારો વિચાર, સારો ભાવ, સારું આચરણ થઈ જાય છે. આથી આ સિદ્ધ થયું કે માણસ કશું કરતો નથી, બધું જ ભીતરના પ્રવાહ કરાવે છે. સંકલેશનો પ્રવાહ કે અસંકલેશનો પ્રવાહ માણસને સારું કે નરસું કરવા માટે પ્રેરે છે. સારાનરસા માટે ભીતરથી આવતો પ્રવાહ જવાબદાર છે, માણસ નહિ. જેવો પ્રવાહ તેવું જ વ્યક્તિત્વ. આનો અર્થ એ થયો કે આપણે કઠપૂતળી જેવાં છીએ કે જે બીજાના ઇશારા પર નાચે છે. તેનું પોતાનું કોઈ જ સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ પ્રકારે આપણું શરીર, આપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org