SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આભામંડળ શક્તિના વ્યયના દરવાજા ખોલી દઈએ છીએ. બધી શક્તિ ખર્ચાઈ જાય છે પછી કશું પ્રાપ્ત નથી થતું. આ વિકાસ થયો છે પરિણામના આધાર પર. માણસે જ્યારે વિચાર્યું કે બધા દરવાજા ખોલવાનું પરિણામ એ આવે છે કે બધું પાણી વહી જાય છે, તમામ શક્તિ ક્ષીણ થઈ જાય છે તો કોઈ એવો ઉપાય શોધવો જોઈએ કે જેથી શક્તિ ક્ષીણ ન થાય અને આનંદ પણ મળે. પ્રવૃત્તિની પળ પણ સારી હોય અને પરિણામ પણ સારું હોય. પ્રવૃત્તિની પળ પણ સુખદાયી અને પરિણામની પળ પણ સુખદાયી. આ ચિંતનથી પ્રેરિત બનીને માણસે સમાધિની શોધ કરી. શક્તિના વ્યયને રોકવાનો ઉપક્રમ વિચાર્યો. ઑકલ્ટ સાયન્સના પુરસ્કર્તાઓએ બે પ્રકારની ઑરાઓનું પ્રતિપાદન કર્યું છે. ૧. ઈમોશનલ ઑરા [ભાવનાત્મક આભામંડળ] ૨. મેન્ટલ ઑરા [માનસિક આભામંડળ] લેશ્યાના સિદ્ધાંતમાં પણ આ બે શબ્દ મળે છે. લેગ્યા બે પ્રકારની હોય છે. એક પ્રકારની વેશ્યાનો સંબંધ છે કષાયથી અને બીજા પ્રકારની લેશ્યાનો સંબંધ છે યોગથી. કષાયપ્રવૃત્તિરંજિતા વેશ્યા – વેશ્યા કષાયની પ્રવૃત્તિથી (ઉદયથી) રજિત હોય છે અને લેગ્યા યોગ દ્વારા સંચાલિત હોય છે. લેશ્યાનો સંબંધ બે આંતરિક શક્તિઓથી છે- કષાયથી અને યોગથી. યોગ-વેશ્યા માનસિક આભામંડળમેન્ટલ ઑરાનું નિર્માણ કરે છે અને કપાય-લેશ્યા ભાવનાત્મક આભામંડળ[ઇમોશનલ ઑરાનું નિર્માણ કરે છે. આમ આભામંડળમાં બે તત્વ કામ કરે છે. એક મનસ અને બીજી ભાવના. કષાયનો સ્ત્રોત જેટલો તીવ્ર હોય છે, આપણી શક્તિઓ એટલી જ ક્ષીણ થાય છે અને તેજ શરીર દુર્બળ બનતું જાય છે. ચંચળતા વધતાં આભામંડળ ક્ષીણ થતું જય છે, માનસનું આભામંડળ ક્ષીણ થતું જાય છે. કારણ મન જેટલું સક્રિય રહેશે, વાણી જેટલી સક્રિય રહેશે અને શરીર જેટલું સક્રિય રહેશે તેટલો જ શક્તિનો વધુ વ્યય થશે. શક્તિનો વ્યય વધુ થાય છે ત્યારે તેનો સંગ્રહ નથી થઈ શકતો. શક્તિના વધુ સંગ્રહ વિના નવી દિશાઓ ઊઘડતી નથી. સાધનાના નવાં સ્વરૂપ ખૂલતાં નથી. આથી શક્તિના વધુ પડતા વ્યયને રોકવો જોઈએ. આનો એકમાત્ર ઉપાય છે કાયોત્સર્ગ આપણે કાયોત્સર્ગ કરીએ. શિથિલતાનો અનુભવ કરીએ જેથી આપણા શરીરના કોષો, આપણા શરીરનો આણુએ અણુ વિશ્રામ લઈ શકે અને તેની શક્તિ ન ખર્ચાતાં તેનો સંચય થાય. શ્વાસને શાંત કરીએ. લાંબા શ્વાસ લઈએ. વાસને મંદ કરીએ. શ્વાસ જ્યારે ધીમો થાય છે ત્યારે શિથિલતા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy