SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આભામંડળ અને શકિત-જાગરણ [૨] ૧૬૧ એનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે, શક્તિનું સંવર્ધન. ઊર્જાની ઊર્ધ્વયાત્રા કરવી એ ખૂબ અભ્યાસ સાધ્ય છે. આપણે આ વાતને ન ભૂલીએ કે જે દિશામાં આપણી શક્તિનો પ્રવાહ વધુ હોય છે એ દિશા સક્રિય બની જાય છે અને બાકીની બધી દિશાઓ નિષ્ક્રિય રહી જાય છે. ઇન્દ્રિયોની દિશામાં આપણી ઘણી શક્તિ ખર્ચાય છે. કામની દિશામાં શક્તિનો વ્યય વધુ થાય છે. સ્પર્શ, રસ, ગંધ આદિ જેટલા વિષય છે તેમાં શક્તિનો ઘણો વ્યય થાય છે. એ દિશામાં ઊર્જાને પ્રવાહિત કરવાનો માર્ગ સહજલબ્ધ છે. એક પ્રશ્ન થાય છે. શું સંભોગ સમાધિનું આદિ બિન્દુ છે? આ પ્રશ્ન એક માણસનો નથી. આ પ્રશ્ન અનેક માણસોને વિચાર કરતા કર્યા છે. આપણે શક્તિની ચર્ચા કરીએ છીએ, શક્તિના વિકાસની ચર્ચા કરીએ છીએ, પરંતુ શક્તિનો વિકાસ ત્યાં સુધી સંભવિત નહિ બને કે જયાં સુધી શક્તિના વ્યયને રોકવામાં ન આવે. એક બાજુ શક્તિના સંચયનો પ્રયત્ન કરીએ અને બીજી બાજુએ શક્તિનો વ્યય કરતા રહીએ તો રેટની જેમ એ ક્રમ ચાલતો રહેશે. જ્યારે ઘડો કૂવાની ભીતર જાય છે ત્યારે પાણી ભરાય છે અને બહાર આવે છે ત્યારે પાણી ખાલી થઈ જાય છે. ભરવું અને ખાલી થવું, એનાથી મોટી શક્તિ પેદા નથી થતી. નદી સતત વહેતી રહે છે તેનાથી કોઈ મોટી શક્તિ પેદા નથી થતી. સ્ત્રોતથી પાણી આવતું રહે છે, આગળ જતું રહે છે. એ પ્રવાહને રોકીને પાણીને બાંધી દેવાય છે ત્યારે એ નિયોજિત પાણીથી વિદ્યુત પેદા થાય છે અને ઘણી મોટી શક્તિ ઉત્પન્ન થાય છે. આથી શક્તિના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે કે શક્તિનો વ્યય રોકવામાં આવે. ‘સંભોગથી સમાધિ – આ પ્રકારનો દૃષ્ટિકોણ સામે આવે છે ત્યારે લોકોના મનમાં ભાનિ થાય છે. કેટલાક એમ પણ માનવા લાગે છે કે સમાધિ પ્રાપ્ત કરવાનું સશક્ત માધ્યમ છે, સંભોગ. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર વ્યક્તિની ભાવના કંઈક બીજી હોય, ગૂઢ હોય, પરંતુ સામાન્ય માણસ એ ગુઢતાને કેવી રીતે પામી શકે? તાંત્રિક પ્રયોગોનાં જે રહસ્ય હતાં, એ રહસ્ય માત્ર એ માણસો માટે હતાં કે જેઓ આગળ વધીને વિશેષ પ્રકારના પ્રયોગ કરવા ઇચ્છતા હતા. આથી વારંવાર કહેવાયું – “ગોખમ્ ગોપ્યમ, પુનરપિ ગોખ.” “ગોખમની વાત જ્યારે ઢીલી પડી જાય છે ત્યારે એ રહસ્ય સામાન્ય માણસ સમક્ષ આવે છે તો એ રહસ્યોનો અર્થ સામાન્ય માણસ પોતાની બુદ્ધિ અનુસાર કરે છે અને ભૂલો પડી જાય છે. આ તર્ક કરાય છે– સંભોગની અવસ્થામાં નિવિચારતા આવે છે. સુખનો અનુભવ થાય છે. આ નિવિચારતા અને સુખની અનુભૂતિએ જ સમાધિને જન્મ આપ્યો છે. માણસે સમાધિની શોધ એટલા માટે કરી કે તેને નિર્વિચારતામાં આ.—૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy