SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આભામંડળ જ પસંદ કરે છે. ખાલીપણું તેને પસંદ નથી. વિચારોનું આ ક્રં ચાલતુ રહે છે. આપણું આભામંડળ શક્તિશાળી નથી બનતું ત્યાં સુધી આપણે આ વિચારોના આક્રમણને રોકી નથી શકતા. તેજો-લેશ્યાનું આભામંડળ બને છે ત્યારે વિચારો માટે દરવાજા બંધ થઈ જાય છે. ત્યારે બહારના ભીતર નથી જોઈ શકતા. પદ્મવેશ્યાનું આભામંડળ બને છે ત્યારે ખરાબ વિચાર અંદર પ્રવેશી નથી શકતા. શુકલ-લેશ્યાનું આભામંડળ બને છે ત્યારે બધી વાતોનું પૂર્ણવિરામ આવી જાય છે. બહારનું સંક્રમણ બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં જ માણસ એકલો હોય છે. સમૂહમાં રહેવા છતાં પણ એકલો બની રહે છે. સંક્રમણના આ જગતમાં જીવનાર કોઈ એકલો નથી બની શકતો. એ ભલે એકલો રહે, પરંતુ એ સૂક્ષ્મ પરમાણુઓ માટે એકલો નથી રહેતો. એ તેની ભીડની અડફેટમાં આવી જ જાય છે. બીજી બાજુ જે માણસ તેજો-લેશ્યા, પદ્મ-લેશ્યા અને શુકલ-લેશ્યાથી આભામંડળનું નિર્માણ કરે છે તે હજારો-લાખોની ભીડમાં રહેવા છતાં પણ ખરેખર એકલો બની જાય છે. જ્યારે આભામંડળ કે ભાવમંડળ શક્તિશાળી બની જાય છે ત્યારે બહારનો તમામ પ્રવેશ પ્રતિબંધિત થઈ જાય છે. શક્તિ-જાગરણ માટે આ જરૂરી છે કે માણસ પળેપળ જાગ્રત રહે, અપ્રમત્ત રહે. મનને જાગ્રત કરવું ઘણું જરૂરી છે. જાગૃતિ વિના એ નથી બની શકતું. ભીતરથી જેવાં સ્પંદન આવશે તેવું આપણું આભામંડળ, આપણી લેશ્યાઓ, આપણું ભાવ-તંત્ર બનશે. મોહનાં સ્પંદન આવે છે ત્યારે લેશ્મા કૃષ્ણ બની જાય છે, નીલ અને કાપોત બની જાય છે. આભામંડળ પણ તેવું વિકૃત, અંધકારમય અને ધાબાંવાળું બનશે. મોહની શૃંખલા તૂટે છે ત્યારે ધર્મ-લેશ્યાઓનાં સ્પંદન જાગે છે, ત્યારે આભામંડળ પવિત્ર બને છે. બધા જ રંગ ત્યારે બદલાઈ જશે. આભામંડળનો રંગ લાલ, પીળો કે સફેદ થશે. શક્તિનો સંચાર શરૂ થશે. શક્તિમાં અવરોધ મૂકનાર સ્પંદન સમાપ્ત થઈ જશે. પ્રક્રિયાની વાંત બતાવતા મેં કહ્યું હતું કે આપણે સંકલ્પ-શક્તિનો ઉપયોગ કરીએ. એકાગ્રતાની શક્તિનો ઉપયોગ કરીએ, અને ઇચ્છા-શક્તિનો પ્રયોગ કરીએ. આ પૂરી પ્રક્રિયા નથી. પ્રક્રિયા બાકી રહી જાય છે. સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વિના વ્યક્તિત્વમાં પરિવર્તન નથી લાવી શકાતું. તેજસ્ના પરમાણુઓનો સંચય અને સંગ્રહણ નથી કરી શકતા. ઊર્જાની ઊર્ધ્વયાત્રાની પ્રક્રિયા ઘણી કઠિન છે. સામાન્ય માણસના સમજ બહારની વાત છે. એનો અધોગામી પ્રવાહ માણસને કામની તરફ પ્રેરિત કરે છે. કામનો બેફામ ભોગ માણસને પતિત અને અસામાજિક બનાવે છે. આથી તેના સબળ કામને દમન સિવાય બીજો કોઇ વિકલ્પ નથી બચતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy