________________
૧૫ર આભામંડળ
તાણ મટાડવા માટે દારૂ પીવો એ કંઈ ખાસ ખરાબ વાત નથી પરંતુ દારૂ પીવાની ટેવ સ્નાયુગત બની જાય છે ત્યારે ઘણી ખરાબ વાત બની રહે છે. એક ઘૂંટ પીધો. બે પેગ પીધા અને માણસ પીતો ગયો. હવે એ તેની ટેવ થઈ ગઈ. સ્નાયુ ટેવાઈ ગયા. હવે દારૂપાન વ્યસન થઈ ગયું. આ ઘણું જ ખરાબ છે.
અધ્યાત્મનો ઉપાય પણ તાણ મટાડવા માટે છે. પણ તે કોઈ પણ હાલતમાં ખરાબ નથી. અધ્યાત્મ ઉદારીકરણની પ્રક્રિયા આપી. આ માર્ગ નિરાપદ છે. તેમાં કોઈ દોષ નથી.
એક ગામ હતું. ત્યાં એક વાર રોગ ફેલાઈ ગયો. રોગ મટાડવા અનેક માંત્રિકો આવ્યા. એક માંત્રિકે કહ્યું : “મારી પાસે એક ભૂત છે. તે બધો જ રોગ મટાડી દેશે. પરંતુ દેખાવમાં એ બેડોળ ને બદસૂરત છે. તેને જોઈને કોઈએ મજાક-મશ્કરી કરી તો એ આખા ગામનો નાશ કરી નાખશે.”
બીજા માંત્રિકે કહ્યું : “મારું ભૂત કુરૂપ છે પણ ખૂબ જ શાંત છે એ. કોઈ ગમે તે કરે, કહે તોપણ તે કોઈને ત્રાસ નહીં આપે. તે બધો રોગ મટાડવામાં સક્ષમ છે.”
રાજાએ પહેલા માંત્રિકને કહ્યું: ‘તું ચાલ્યો જા. તારું ભૂત ભયાનક છે. રોગ મટાડવાની વાત પછી, એ આખા ગામનો નાશ કરી નાખશે. એવું ભૂત અમારે નથી જોઈતું. ગામમાં બાળકો પણ છે, વૃદ્ધો છે, સ્ત્રીઓ પણ છે. કોઈ પણ તેનું કદરૂપ જોઈને હસી શકે છે. તેમનું હસવું આખા ગામનું મોત બની જાય. ના, બાબા! અમારે તારા ભૂતનું કામ નથી. તેને તું લઈ જા.”
રાજાએ બીજા માંત્રિકને કહ્યું: ‘તું આ ગામના રોગને મટાડ. તારું ભૂત. સારું છે. એ ઉપાય નિરાપદ છે.”
તાણ મટાડવાના બે ઉપાય છે. એક ઉપાય છે દારૂ-સેવનનો. અને બીજો ઉપાય છે વૃત્તિના ઉદારીકરણનો. દારૂ-સેવનનો ઉપાય સ્થાયી નથી. એ ફરી તાણ પેદા કરે છે. વૃત્તિના ઉદારીકરણનો ઉપાય સ્થાયી છે. એથી ફરી તાણ નથી થતી.
દારૂ-પાન નશો છે તો ધ્યાન પણ એક નશો છે. એનાથી પણ માદકતા આવે છે. પણ આ માદકતા કોઈ ખરાબ પરિણામ નથી મૂકી જતી. એ બિલકુલ નિર્દોષ છે. તેની કોઈ સાઇડ-ઇફેકટ નથી થતી.
અધ્યાત્મ કહ્યું : “માણસે પોતે પોતાને ભૂલવાની જરૂર છે. એને મિટાવી નથી શકાતો.' તાણને મટાડવાની વાતને નકારી નહિ શકાય. તાણને મટાડવામિટાવવાનો અચૂક – અમોઘ ઉપાય છે, ધ્યાન. ધ્યાનના ત્રણ પ્રકાર છે: એક: કાયિક ધ્યાન અર્થાત શિથિલીકરણ. બે: વાચિક ધ્યાન અર્થાત્ મૌન. તેનાથી વાચિક તાણ મટે છે. ત્રીજું છે: માનસિક પ્લાન અર્થાત નિર્વિચારિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org