________________
આભામંડળ અને શકિત-જાગરણ [૧] ૧૫૧ તે ગૃહસ્થ હોય કે સંન્યાસી. પ્રશ્ન છે પ્રયાણનો. પ્રયાણ કરતાં અગાઉ પ્રશ્ન થશે કે આપણો યાત્રા-પથ કયો છે? આપણા પ્રયાણની દિશા કેવી છે. કઈ છે?
રાગનો પ્રવાહ જે કામની દિશામાં જાય છે, તેનું સૌથી મોટું કારણ છે – તાણ. માણસમાં જેટલી તાણ હોય છે તેટલો જ સેકસ – કામ પ્રબળ હોય છે. જેટલી તાણ તેટલી વાસના. તાણ થવી, કામની ઉત્તેજના થવી. આ કૃષ્ણલેશ્યાનું પરિણામ છે. કૃષ્ણ-લેશ્યાવાળો અજિતેન્દ્રિય હોય છે. આ કૃષ્ણ-લેશ્યાનો ભાવ છે. તેનું આભામંડળ કાળું હોય છે. કૃષ્ણ-લેશ્યાનું પરિણામ જેટલું પ્રબળ હશે તાણ તેટલી જ વધુ હશે. તાણના કારણે માણસ ઘણી બધી ખરાબ ટેવોનો શિકાર બને છે. વ્યસનોનો શિકાર બને છે. તાણને દૂર કરવાનો એક વિચિત્ર પ્રયોગ વાંચ્યો. એક મહિલા તાણગ્રસ્ત હતી. આશ્રમમાં ગઈ. પ્રયોગ કર્યો. છેડછાડ કરવામાં આવી. એ હળવી થઈ ગઈ. આ પ્રયોગ વાંચી હસવું આવી ગયું. હળવી થઈ હશે એ મહિલા. એક તાણ હતી. એક વિદ્યુત બહાર નીકળવા ઇચ્છતી હતી. છેડછાડથી એ બહાર નીકળી ગઈ. તાણ દૂર થઈ ગઈ. એક વાર આવો અનુભવ થયો પરંતુ એ મહિલા પોતે બીજી તાણોથી કેટલી ભરાઈ જશે? તાણ મટાડવાનો આ કોઈ માર્ગ નથી, ઉપાય નથી. આ ઘણો જ તાત્કાલિક અને ક્ષણિક ઉપાય છે. એક વખત હળવાશ લાગે છે પરંતુ તાણ ઘટાડવાનો આ કોઈ ઉપાય નથી.
તમે પ્રવાસમાં છો. સાથે પાંચ કિલો પાણી છે. થાકી ગયા. પાણી ફેંકી દીધું. અનુભવ થશે કે ભાર હળવો થઈ ગયો. આગળ વધ્યા. તરસ લાગી. હવે શું કરશો? હવે જ માલૂમ થશે કે હળવાપણું શું છે. ભારેપણું શું છે? આપણે પરિણામદર્શી બનીએ. પરિણામને ન ભૂલીએ. આપણે યાદ રાખીએ કે પ્રવાસમાં છીએ, તરસ લાગી શકે છે તરસને ભૂલીને સાથે લીધેલું પાણી ઢોળી દઈશું તો એ યોગ્ય નહીં ગણાય.
જે માણસ દારૂ પીએ છે તે પણ તાણને મટાડવા જ તો દારૂ પીએ છે. એ શું ખરાબ કરે છે? જ્યારે એ તાણથી ભરાઈ જાય છે અને પોતાને ભુલાવી દેવા ઇચ્છે છે ત્યારે એ દારૂના શરણે જાય છે. ખુદ પોતાને ભૂલ્યા વિના બેચેન થાય છે. અજંપો – અશાંતિ થાય છે. માણસે ખુદને ભૂલી જવા દારૂ પીવાનું શરૂ કર્યું. માણસે પોતાને ભુલાવી દેવા તમાકુ પીવાનું શરૂ કર્યું. માણસે ગાંજો, ચરસ વગેરે પીવાનું શરૂ કર્યું, પોતાની જાતને ભૂલી જવા માટે. માણસ ભૂખે નહોતો કે એણે કોઈ હેતુ વિના આ વસ્તુઓનું સેવન શરૂ કર્યું હોય. આજનો માણસ અનેક પ્રકારના ડ્રગ્સનો પ્રયોગ કરે છે. કારણ એ ઇચ્છે છે કે એ ભયની તાણથી, ચિંતા અને સંજોગોની તાણથી આસપાસના વાતાવરણની તાણથી મુક્ત થઈ જાય. તેને ભૂલી જાય. એની કોઈ યાદ જ ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org