________________
આભામંડળ અને શકિત-જાગરણ [૧] ૧૫૩ વિચારોથી તાણ આવે છે. નિર્વિચારથી તાણ દૂર થાય છે.– આ ત્રણ સાધન છે. ચોથું સાધન છે આંતરિક વિદ્યુતનો અનુભવ. આ ઘણો જ મહત્વનો ઉપાય છે. આંતરિક સ્પંદનોનો અનુભવ કરવો એ ખૂબ જ મહત્ત્વનું છે. માણસ જ્યારે પદાર્થનાં સ્પંદનોનો અનુભવ કરે છે ત્યારે તાણથી ભરાઈ જાય. છે. માણસ પોતાના ભીતરનાં સ્પંદનોનો અનુભવ કરે છે. જ્યારે એ સુખદ
સ્પંદનો જાગી જાય છે ત્યારે સુખનો અનુભવ થવા લાગે છે. ત્યારે અલૌકિક સુખની અનુભૂતિ થાય છે. આ તેજો-લેશ્યાનું સ્પંદન છે. જ્યાં સુધી આ
સ્પંદન નથી જાગતાં ત્યાં સુધી નવી દિશા નથી ઊઘડતી. માણસ જ્યાં સુધી લાલ રંગનાં સ્પંદનોમાં નથી જતો ત્યાં સુધી નવી દિશા ખૂલતી નથી. લાલ રંગ માણસને આધ્યાત્મિક બનાવે છે. તેજ-લેશ્યા નવો દરવાજો ખોલે છે..
ત્યારે માણસની રાગની ધારા બદલાઈ જાય છે. માર્ગનતરણ થઈ જાય છે. નવી શક્તિનો અનુભવ થાય છે.
માર્ગોત્તરીકરણનાં પાંચ સાધન છે. ધ્યાન, શિથિલીકરણ, મૌન, નિર્વિચારિતા અને આંતરિક વિદ્યુતનાં સ્પંદનોનો અનુભવ.
તમે એમ ન માનશો કે અભ્યાસના આરંભમાં જ બધી તાણ મટી જશે. અભ્યાસ કરતા રહો. પ્રયત્ન ચાલુ રાખો. નિરંતર સાધના ચાલુ રાખો. મંજિલ નજીક આવતી જશે. એક દિવસ આપણે નિશ્ચિત બિન્દુ પર પહોંચી જઈશું. આપણે રોજરોજનો હિસાબ રાખવાનો છે. પ્રતિક્રમણ કરવાનું છે. આપણે જોવાનું છે કે આટલા સમયથી સાધના કરી રહ્યા છીએ તો ક્યાં સુધી પહોંચી શક્યા છીએ. રોજેરોજ આપણે આગળ વધી રહ્યા છીએ કે પાછળ ને પાછળ પડતા જઈએ છીએ? એક ડાયરીમાં આપણે તેની નોંધ રાખીએ.
ધ્યાનનું મૂળ સૂત્ર છે– જાગૃતિ, અંતર્મુખતા. જ્યાં સુધી જાગૃતિ અને અંતર્મુખતા રહેશે ત્યાં સુધી ગૃહસ્થ સાધકને કામ નહીં સતાવે. તાણથી તે ભરાઈ નહીં જાય. અને તાણ મટાડવા માટે તેને દારૂ નહીં પીવો પડે. આ સાધનાથી સાધુ એક છલાંગે વીતરાગ નહીં બને. પરંતુ ઊર્જાનું ઊર્ધ્વીકરણ થતું રહેશે અને આંતરિક શક્તિઓ જાગશે, પ્રતિભામાં નિખાર આવશે. પ્રજ્ઞાનું જાગરણ થશે, અંતરના આલોકનો વિકાસ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org