________________
આભામંડળ ૧૪૧ એક મુખ્ય કળા હતી કે તેઓ એના પ્રયોગથી યૌનકુંઠાઓને મટાડતી હતી. એ પ્રયોગથી તેઓ અનેક પુરુષોને કામુક પ્રાણી બનાવી દેતી હતી. શું આપણે એ વેશ્યાલયોને – ગણિકાગૃહોને અધ્યાત્મ ધ્યાન-કેન્દ્ર માનીશું? આજના કેટલાક આશ્રમોમાં અને એ ગણિકાગૃહોમાં અંતર શું છે?
એ આશ્રમોમાં પ્રયોગ આ આધાર પર થાય છે કે તેઓ દમન ન કરો, ભોગવો.'-ના સિદ્ધાંત પર ચાલે છે. તેમણે દમન” શબ્દને પકડી લીધો. તેનું પ્રતિફલન થયું– મુક્ત-વાસના. આથી બેફામ વ્યભિચારતે ઉઘાડેછોગ અવસર
મળી ગયો.
માકર્સે કલ્પના કરી હતી કે સામ્યવાદી શાસનમાં કોઈ કુટુંબ નહિ હોય. કોઈ પતિ નહિ હોય, કોઈ પત્ની નહિ હોય. કોઈ બાપ નહિ હોય, કોઈ દીકરો નહિ હોય. તેની કલ્પના સાકાર ન થઈ. સાકાર થઈ હોત તો આજ અધ્યાત્મના કોઈ આચાર્યને મુક્ત-વ્યભિચાર જેવા પ્રયોગ ન કરવા પડત. આ તો માકર્સ પહેલાં જ કરી ગયા. કલ્પના હતી. એ સફળ ન થઈ એ અલગ વાત છે. આજ જે સામ્યવાદી દેશ છે, જ્યાં માકર્સના સિદ્ધાંતો કાર્યાન્વિત થઈ રહ્યા છે ત્યાં પણ આ વાત ન બની. આજ ત્યાં પણ કુટુંબ છે. પતિ-પત્ની છે. પિતા-પુત્ર છે. બધું જ છે.
આજના યુવાનને મુક્ત-વ્યભિચાર પ્રત્યે આકર્ષણ છે અને તે એવાં સ્થાનોમાં જવા ઇચ્છે છે જ્યાં મુક્ત-વ્યભિચાર કોઈ પણ નામે ચાલતા હોય. પછી તે ધ્યાનના ઊંડાણમાં જવાના નામે ચાલે કે કુંઠા-નિવારણના નામે ચાલે. પરંતુ તેનું પરિણામ કેટલું ભયંકર હોય છે તે સૌને ખબર છે. આપણે એ પરિણામોને ન ભૂલીએ.
પ્રવૃત્તિની ક્ષણ આપણા માટે મૂલ્યાંકનની ક્ષણ નથી હોતી. આપણે તેને કસોટી નહિ માની શકીએ. કસોટી બની શકે છે પરિણામની ક્ષણ. કસોટી બને છે પરિણામ અને ફળની ક્ષણ. મુક્ત-વ્યભિચારના પ્રયોગોનાં પરિણામો પર આપણે વિચાર કરીએ તો આ સ્પષ્ટ થાય છે કે તેનાથી એવાં ખરાબ પરિણામ આવશે કે સમાજનું સમસ્ત માળખું જ વિકૃત થઈ જશે, ખખડી જશે.
ગાંધીજીએ આ દિશામાં પ્રયોગ કર્યા. પ્રયોગ થઈ શકે છે. પ્રયોગોનો હું અસ્વીકાર નથી કરતો. જૈન પરંપરામાં વિજય શેઠ અને વિજ્યા શેઠાણીની ક્યાની ચર્ચા છે. એ બંનેએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું હતું. બંને એક પથારીમાં સૂતાં. પરંતુ સંપૂર્ણ બ્રહ્મચારી હતાં. એ એમનો પ્રયોગ હતો. પરંતુ આવા વિરલ માણસોના પ્રયોગોને આપણે સામાજિક સ્તરે લાવવા ઇચ્છીશું તો એ હિમાલય સમી ભૂલ થશે. બધાં જ મુક્ત-બેફામ થઈ જશે. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org