________________
૧૪૨ આભામંડળ પર પ્રતિબંધ નહિ રહે. કુટુંબ નામની કોઈ ચીજ નહિ બચે. પતિવ્રત અને પત્નીવ્રત જેવા શબ્દ આકાશ-કુસુમ બની જશે. | મુક્ત-વ્યભિચારના પ્રયોગ કરનારા તેને ભારતીય વિકાસના હેતુ માને છે. આ તેમનું ચિંતન છે. પોતપોતાની પસંદ. એમાં આપણે શા માટે દુ:ખી થવું? પરંતુ સિદ્ધાંતત: અને અનુભવના આધાર પર આ વાત પર વિચાર કરીએ તો આપણે બંને કિનારા – દમન અને મુક્ત-વ્યભિચાર–ને એક નજરે જોઈશું કે દમન જેટલો અપરાધ છે પોતાના વ્યક્તિત્વ પ્રત્યે તેટલો જ અપરાધ છે ઉન્મુક્તતા કે ઉછુંખલતા પોતાના વ્યક્તિત્વ પ્રત્યે. બંનેથી બચીને આપણે રેચનની વાત શીખીએ. રેચન કરવાનું જાણીએ. ઊર્જાની ઊર્ણયાત્રા થશે ત્યારે આપણી સમસ્યાઓ આપોઆપ ઊકલી જશે અને આપણે આ ભૂલભરેલી દિશાઓમાં જવાથી બચી જઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org