SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ આભામંડળ લઈએ, ધ્યાનની સાધના માની લઈએ તો એ ઘણી મોટી ભૂલ ને ભ્રાન્તિ બની રહેશે. એ સાચું છે કે પ્રાણ-ચિકિત્સા દ્વારા રોગોને મટાડી શકાય છે. પ્રાણશક્તિ દ્વારા એક માણસ બીજા માણસની વિદ્યુતને સ્પર્શીને તેની માનસિક કંટાઓને મિટાવી શકે છે. તેની દમિત વાસનાઓને રૂપાંતરિત પણ કરી શકે છે. કોઈ પુરુષ કે સ્ત્રી પ્રત્યે અનાસક્ત ભાવ થઈ ગયો. કોઈ દુર્ઘટનાના કારણે મનમાં ગ્લાનિ આવી ગઈ તો પ્રાણ-શક્તિના પ્રયોગથી એ ગ્લાનિને દૂર કરી શકાય છે. એ પુરુષમાં સ્ત્રી પ્રત્યે પુન: અનુરાગ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આ કોઈ ધ્યાન કે અધ્યાત્મનો પ્રયોગ નથી. આ માત્ર પ્રાણનો પ્રયોગ છે. સ્થૂલિભદ્ર મંત્રી-પુત્ર હતા. નાનપણમાં તે સીઓથી ડરતા હતા. સ્ત્રીઓના સહવાસથી ગભરાતા હતા. મંત્રીને આ યોગ્ય ન લાગ્યું. તે પોતાના પુત્રને પરિણીત જોવા ઇચ્છતા હતા. તેમણે પોતાના રાજ્યની પ્રસિદ્ધ ગણિકા કોશાના ઘરે સ્થૂલિભદ્રને મોકલ્યા. મંત્રીએ કોશાને કહ્યું: ‘એનામાં સ્ત્રી પ્રત્યે આકર્ષણ પેદા કરવાનું છે. તું તારી તમામ કલાનો ઉપયોગ કરીને તેને કામકલામાં કાબેલ બનાવી દે. કોશાએ પ્રયોગ કર્યા અને સ્થૂલિભદ્રમાં કામ પ્રત્યે આકર્ષણ વધવા લાગ્યું. આને શું આપણે અધ્યાત્મના પ્રયોગ કહીશું? ધ્યાનસાધના કહીશું? એ ખરું કે ગણિકાએ – કોશાએ સ્કૂલિભદ્રની માનસિક ચિકિત્સા કરી અને તેને સ્ત્રીઓ પ્રત્યે ઉન્મુખ કર્યો, સ્ત્રીઓ પ્રત્યે સ્થૂલિભદ્રના મનમાં જે ગ્લાનિ હતી તે દૂર થઈ ગઈ. આજકાલ ધર્મના નામે કે યોગાભ્યાસ અને ધ્યાન-સાધનાના નામે ચાલતા કેટલાક આશ્રમોમાં આ પ્રકારના કુંઠિત સ્ત્રી-પુરુષો ઉપર મુક્ત યૌનાચાર–સ્વચ્છેદાચારના પ્રયોગ કરાય છે અને તેમની રૂંધામણને દૂર કરાય છે. જે પુરુષ સ્ત્રીની પાસે જતાં કે જે સ્ત્રી પુરુષ પાસે જતાં ગભરાય છે, તેની આ રૂંધામણને સ્વેચ્છાચાર દ્વારા સમાપ્ત કરી દેવાય છે. આમ કહીને ધ્યાન-સાધનાની આરતી ઉતારવામાં આવે છે તે મિશ્યા દૃષ્ટિકોણ છે. ધ્યાનના નામે વ્યભિચારને વધારવાનો આ પ્રયાસ છે. એ માની શકાય કે આ પ્રકારની પ્રક્રિયાથી તેની માનસિક સારવાર થઈ શકે છે. પરંતુ તેને આપણે અધ્યાત્મ-સાધના કે ધ્યાનસાધના નહિ માનીએ. એ માત્ર મનની રૂંધામણની સારવાર સિવાય વિશેષ કંઈ નથી. આપણે આને જો ધ્યાન કે અધ્યાત્મની સાધના માનીએ તો ગણિકા કોશાનું સ્થાન પહેલું મૂકવું પડે. તેણે સ્થૂલિભદ્રની માનસિક રૂંધામણને મટાડી. તેને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ જેટલું મૂલ્ય આજ કેટલાક આશ્રમોને અપાઈ રહ્યું છે. કોશા એકલી જ એક એવી ગણિકા ન હતી. અનેક ગણિકાઓએ આ પ્રકારના કાર્ય કર્યા છે. તેઓ ચોસઠ કળાઓમાં નિપુણ હતી. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy