________________
૧૩૮ ગાભા મંડળ
છે. તેમાં સચ્ચાઈ નથી. ધર્મશાસ્ત્ર કયારેય દમન નથી શીખવતાં. ધર્મશા મૅચનની વાત શીખવે છે. તપસ્યાની સંપૂર્ણ પ્રક્રિયા નિર્જરાની પ્રક્રિયા છે. ધર્મશાસ્ર નિર્જરાની પ્રક્રિયા શીખવે છે. ધર્મગુરુ નિર્જરાનો માર્ગ બતાવે છે. નિર્જરાની પ્રક્રિયા દમનની પ્રક્રિયા નથી, રેચનની પ્રક્રિયા છે. જે કર્મ-પરમાડુઓ આત્માની સાથે જોડાયા છે, જે આપણી વૃત્તિઓને જગાડે છે, તે તમામ પરમાણુઓનુ રેચન કરવું, તેને સમાપ્ત કરી દેવા, તેનું વિશોધન કરવું – આ છે નિર્જરાની પ્રક્રિયા, રેચન-નિર્જરા અને સંવર બંને સાથોસાથ ચાલવા જોઈએ. પુરાણા – જૂના પરમાણુઓને ખંખેરી નાખવા અને નવા પરમાણુઓ ભીતર ન આવવા પામે, એવી વ્યવસ્થા કરવી, ધર્મના આચાર્યએ આ બેવડી ધ્રુવસ્થા કરી. આથી હું માનું છું કે ધર્મના આચાર્ય કે ધર્મશાસ્ત્રો વૃત્તિઓના દમનની વાત નથી બતાવતાં. વૃત્તિઓના દમનની જ વાત હોત તો નિર્દેશની પ્રક્રિયા આપણી સમક્ષ ન આવત.
મનોવિજ્ઞાને જે રૂપાંતરણની વાતનું પ્રતિપાદન કર્યું, તે સામાજિક સ્તરનું રૂપાંતરણ છે. તેની પાસે અધ્યાત્મની પ્રક્રિયા નથી. અધ્યાત્મ-સાધનામાં એક એવી પ્રક્રિયાનું પ્રતિપાદન છે કે જે દ્વારા વ્યક્તિની વૃત્તિઓનું વિલીનીકરણ થઈ જાય છે અને નવા ધૃતમ્યનો ઉદય થયો છે. આપણી વૃત્તિઓ જાગે છે કામ-કેન્દ્રની પાસે. ક્રોધની વૃત્તિ, ભય અને કામવાસનાની વૃત્તિ કામ-કેન્દ્રની આસપાસ જાગે છે. ડૂંટીની પાસે બે એડ્રીનલ ગ્રન્થિઓ છે. એ વૃત્તિઓને ઉત્તેજિત કરે છે. ઊર્જા જ્યારે ડૂંટીની આસપાસ ઘૂમે છે ત્યારે ક્રોધ, ભય અને કામની વૃત્તિઓ વારંવાર સળવળે છે અને માણસને પજવતી રહે છે.
સાધનાથી ઊર્જાનું દિશાંતરણ કરવાનું છે. તેના પ્રવાહને બદલવાનો છે. તેની દિશાને બદલવાની છે. જે ઊર્જા નીચેની તરફ પ્રવાહિત થઈને નિમ્ન વૃત્તિઓને બળ આપે છે, સક્રિય કરે છે તેને ઊર્ધ્વગામી બનાવવી, જ્ઞાન-કેન્દ્રની તો પ્રવાહિત કરી આ સાધનાનું મૂળ લક્ષ્ય છે. ઊર્જા જ્યારે ઉપરની તરફ વહેવા લાગે છે ત્યારે વૃત્તિઓ શાંત થાય છે. ઊર્જા જ્ઞાન-કેન્દ્ર સુધી પહોંચ છે ત્યારે વૃત્તિ-કેન્દ્રોનું જ વિશોધન થવા લાગે છે.
લેશ્યાના સિદ્ધાંતમાં બતાવ્યું છે કે કૃષ્ણ-વૈશ્યા નીલ-લેશ્વાના ભાષીને મેળવીને નીલ-ક્રયામાં બદલાઈ જાય છે, નીલ-લેયા કાર્યાતવૈશ્યાના ભાવીને પ્રાપ્ત કરીને કાર્યાત વૈશ્યામાં બદલાઈ જાય છે. આ પ્રમાણે કાર્પાત-લેથા તેજોલેશ્યામાં, તેજો-લેથા પદ્મ લેંથામાં અને પદ્મ-લેષા શુકલ-લેશ્યામાં બદલાઈ જાય છે.
દૂધમાં મેળવણ નાખ્યું. દૂધ દહીં બની ગયું. સફેદ કપડાને જે રંગથી ફૂગ્ગુ તે એ રંગનું બની ગયુ. સફેદ કપડું કાળા, પીળા, નીલા, લાલ, ભૂતરિયા તમામ રંગોનું બની જાય છે. વૈડૂમણિ કાળા દોશમાં પરોવવાથી કાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org