SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આભામંડળ ૧૩૭ મળી, સુખ મળ્યું. જ્યારે એ અંદર ને અંદર રહે છે ત્યારે પ્રતિરોધ કરે છે અને અંદર ને અંદર અમળાય છે. સેકસનું સુખ, ક્રોધનું સુખ, વૃત્તિનું સુખ માત્ર એટલું જ હોય છે કે વિદ્યુતનું બહાર નીકળી જવું. જેમ ફોલ્લામાં રસી થઈ જાય છે અને ફોલ્લાને દબાવીને રસી કાઢી નાખતાં માણસને સુખ અને શાંતિ થાય છે. જેમ રસી વિજાતીય પદાર્થ છે અને તે બહાર નીકળતાં શાંતિ મળે છે તેમ જ કામની વિદ્યુત બહાર નીકળી જાય છે ત્યારે માણસને લાગે છે કે કંઈક ખાલી થયું. તેને સુખનો અનુભવ થાય છે. ક્રોધ આવે છે અને એ ક્રોધી માણસ જો દસ-બાર ગાળો દઈ દે છે તો તેનું મન શાંત થઈ જાય છે. તેને સુખનો અનુભવ થાય છે. જેને મારવા-પીટવાનો હોય છે તેને જો મારવા-પીટવામાં આવે છે તો સુખનો અનુભવ થાય છે. તેમાં હોય છે શુ? માત્ર આટલું જ હોય છે કે જે વિદ્યુત એ વૃત્તિઓની સાથે જોડાયેલી હતી તે બહાર નીકળી ગઈ. કામ પૂરું થઈ ગયું. વિદ્યુત ખર્ચી નાખવાથી માણસ ખાલી થઈ જાય છે. તે નિરાશાથી ભરાઈ જાય છે. તેની ધીરજ તૂટી જાય છે. તેની પ્રતિભા ભાંગી જાય છે. તેની ચિંતન-શક્તિ ખત્મ થઈ જાય છે. બધી જ સારપ તે ખોઈ બેસે છે. શરીરનું બળ, મન અને બુદ્ધિનું બળ નષ્ટ થઈ જાય છે. પ્રાણ-પ્રવાહને સક્રિય રાખનાર ઇંધણ ખલાસ થઈ જાય છે. ઇંધણની સાથોસાથ સક્રિયતા સમાપ્ત થઈ જાય છે. આથી ઇંધણને ખર્ચી નાખવું તે મહા મૂર્ખતા છે. એક દિવસ એવો આવે છે કે માણસ શક્તિશૂન્ય બની જાય છે. તે ઢીલો પડી જાય છે. મન શક્તિહીન બની જાય છે. સર્વસ્વ – સઘળું શૂન્ય જેવું લાગે છે. આપણે વિદ્યુત ખર્ચી ન નાખીએ, માત્ર વૃત્તિનું રેચન કરીએ. વૃત્તિઓના જે પરમાણુ છે, એ પરમાણુઓનું રેચન કરો, વિદ્યુતને ખર્ચી ન નાખો. વિદ્યુતને સુરક્ષિત રાખો.– આ છે અધ્યાત્મની પ્રક્રિયા. દમનની વાત ઉપયુક્ત નથી. અધ્યાત્મના કોઈ પણ આચાર્યો દમનનું પ્રતિપાદન નથી કર્યું. પ્રાચીન ગ્રન્થોમાં દમનની ભાષા નથી મળતી. હોઈ શકે કે ધર્મના કેટલાક આચાર્યોએ એવું લેખન કર્યું હોય પરંતુ તેને અનુભવશૂન્ય લેખન જ માનવું જોઈએ. હરકોઈ લેખકની વાત માન્ય નથી હોતી. એ લેખકની વાત માન્ય હોય છે કે જે પ્રત્યક્ષજ્ઞાની છે, કષાયશુન્ય છે, સમ્યગદૃષ્ટિકોણથી સંપન્ન છે, આત્માને ઉપલબ્ધ છે. જે અધ્યાત્મના ઊંડાણે ઊતરવા અભ્યસ્ત છે તેની વાત માન્ય થાય છે. પ્રમાણ થાય છે, બીજાની વાત પ્રમાણ નથી થતી. ધર્મગ્રન્થોમાં કયાંક કયાંક દમનની વાત મળે છે પરંતુ એમ નહિ કહી શકાય કે બધા જ ધર્મગ્રન્થમાં આ વાત માન્ય રહી છે. આચાર્ય રજનીશે ધર્મગુરુઓ ઉપર, ધર્મ ઉપર ઘણો મોટો આક્ષેપ કર્યો છે કે ધર્મગુરુ દમન શીખવે છે, ધર્મ દમન શીખવે છે. આ જૂઠો આક્ષેપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy