________________
વ્યક્તિત્વનાં બદલતાં રૂપો ? અને બહાર બંને આંદોલિત થઈ જાય છે. બહાર અને ભીતર બંને ડોલી ઊઠે છે. ચોતરફ તરંગો જ તરંગો, લહેરો જ લહેરો અને કંપન જ કંપન રહે છે.
કોઈ માણસ નથી ઇચ્છતો કે એ ખરાબ આચરણ કરે, કોઈ નથી ઇચ્છતું કે તેના મનમાં ખરાબ ભાવ આવે. ખરાબ ચિંતન, ખરાબ ભાવ અને ખરાબ કર્મ કોઈ નથી ઇચ્છતું. પરંતુ ન ઇચ્છવા છતાંય ખરાબ વિચાર આવે છે, ખરાબ ભાવ જાગે છે અને ખરાબ કાર્ય પણ થાય છે. આમ શાથી થાય છે? – આ એક પ્રશ્ન છે. કોઈ માણસ ખરાબ કરવા ઇચ્છે અને એ ખરાબ કરે તો એ સ્વાભાવિક છે. ત્યારે કહી શકાય કે એણે જેવું ઇચ્છયું તેવું તેણે કર્યું. પરંતુ ખરાબ કરવાની ઇચ્છા ન હોય તો ખરાબ થાય ત્યારે આ પ્રશ્ન થાય છે કે આમ કેમ થયું? આ એક ઘણો મોટો પ્રશ્ન છે.
માણસ સારું પણ કરે છે અને ખરાબ પણ કરે છે. કયારેક એ સારા વિચાર કરે છે, સારા ભાવ ભાવે છે અને સારું કાર્ય કરે છે. ક્યારેક એ
ખરાબ વિચાર કરે છે, ખરાબ ભાવ ભાવે છે અને ખરાબ કાર્ય કરે છે. આ દ્વન્દ્ર ચાલતું રહે છે. એક જ વ્યક્તિમાં આ બે વિરોધી વાતો રહે છે. એકની. એક વ્યક્તિ ક્યારેક સારી તો ક્યારેક ખરાબ હોય છે. આવું કેમ થાય છે?— આ પ્રશ્ન હજારોએ નહીં કરોડો વ્યક્તિઓએ પૂછયો છે અને તમને પોતાને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
આપણું મન વારંવાર કેમ બદલાય છે? ભાવ કેમ બદલાય છે? વિચાર શાથી બદલાય છે? આ પ્રશ્નોનું સમાધાન મેળવવા માણસે પ્રયત્ન પણ કર્યો છે. મનોવિજ્ઞાને પણ આ પ્રશ્નનું સમાધાન આપ્યું છે. પરંતુ તે સંતોષજનક નથી, પૂરું સમાધાન નથી. મનોવિજ્ઞાનનો ઉત્તર પૂરો એટલા માટે નથી કે તે પૂરી મંજિલે પહોંચી નથી શકર્યું. જ્યાં સુધી પહોંચીને ઉત્તર આપ્યો છે તે બરાબર છે, પરંતુ એથીય વધુ આગળ પહોંચવા માટે પણ ઘણો અવકાશ છે.
વ્યક્તિત્વને જાણવાનાં ત્રણ સાધન છે: ઇન્દ્રિય, મન અને ચિત્ત કે બુદ્ધિ. આપણે ઈન્દ્રિયોથી કામ લઈએ છીએ, મનથી કામ લઈએ છીએ, બુદ્ધિથી કામ લઈએ છીએ. તે સિવાય આપણી પાસે બીજો કોઈ સાધન નથી. ઇનિદ્રયોને આપણે જાણીએ છીએ. મનની પણ જાણ થાય છે અને બુદ્ધિની પણ. પરંતુ એથી આગળ આપણી પહોંચ નથી જતી.
આજના ડૉકટર શરીરના એકેએક અવયવને, ભલે તે સ્થૂળ હોય કે સૂમ, જોઈ ચૂક્યા છે. હૃદયને જોયું, મગજના યંત્રને જોયું, આંતરડાં અને મૂત્રાશય જોયાં. નસોની જાળ જોઈ. બીજી પણ ઘણી સૂક્ષ્મ ચીજો જોઈ. પરંતુ એટલું જ કંઈ બધું નથી. અદીઠ પણ ઘણું છે. તેને જોવા માટે ડૉકટર પાસે સાધન નથી, હથિયાર નથી. મેં એક ડૉકટરને કહ્યું હતું કે જે કંઈ જોવાયું છે તે આંખોથી કે આંખોની મદદથી જોવાયું છે, મનની ચંચળતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org