SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ નાભામંડળ ૧૫ લીધી અને આગળની અર્ધી વાત છોડી દીધી. અને અહીંથી જ સમસ્યા પેદા થઈ. ‘દબાવવું સારું નથી' – આ વાત ધર્મના મંચ પરથી પણ કહી શકાય, અધ્યાત્મના મંચ પરથી પણ કહી શકાય. ‘દબાવો નહિ’-નો અર્થ થશે - વૃત્તિનું ઉદાત્તીકરણ, વૃત્તિનું રૂપાંતરણ. હું જ્યારે અધ્યાત્મની ભાષામાં વિચારું છું ત્યારે મને લાગે છે કે રૂપાંતરણની વાત એક મનોવિજ્ઞાની કહી શકે છે પરંતુ અધ્યાત્મની ભાષામાં ‘કામ’નું રૂપાંતરણ નથી થતું, તેનું ાયીકરણ થાય છે. સમાપ્તીકરણ થાય છે. ‘કામ’ના પરમાણુ છે, ક્રોધના પરમાણુ છે, તેનું રૂપાંતરણ નથી થતું. તેને તો ખલાસ ને ખત્મ જ કરી શકાય. મોટી મુશ્કેલી એ થઈ છે કે આપણે ઊર્જાને વહેંચી નાખી છે. આ ક્રોધની ઊર્જા છે, અને આ કામની ઊર્જા છે. એવું માની લીધું. ઊર્જા એક જ છે. ન કામની ઊર્જા છે, ન ક્રોધની ઊર્જા છે, ન અહંકારની ઊર્જા છે. ઊર્જા ઊર્જા છે. તે કોઈની પણ નથી. તે શક્તિમાત્ર છે. શનિનું કામ છે બીજાને સક્રિય કરવાનું, પુષ્ટ કરવાનું. ઊર્જા જે કામવાસના પ્રત્યે પ્રવાહિત થાય છે તો તે કામ-કેન્દ્રને સક્રિય બનાવે છે. તે જો જ્ઞાનકેન્દ્રની તરફ પ્રવાહિત થાય છે તો તે જ્ઞાન-કેન્દ્રને સક્રિય કરે છે. તે જે ક્રોધની પાસે જાય છે તો ક્રોધની વૃત્તિ સક્રિય થાય છે અને જે ક્ષમાની પાસે જાય છે તો ક્ષમાની વૃત્તિ સક્રિય બને છે. આપણે જો કામવાસનાના રૂપાંતરણની વાત સ્વીકારીએ છીએ તો ‘કામ’ને એક શાશ્વત સત્યના રૂપમાં સ્વીકારી લઈએ છીએ. કામની ઊર્જા કોઈ શાશ્વત સત્ય નથી. તે એક આણ્વિક સંરચના છે. આણુઓનું સંસ્થાન-તંત્ર છે. કામવાસના આપણી ચૈતના પર છવાયેલી અણુઓની એક સંરચના છે. એ અણુઓને આપણે વિલીન કરી શકીએ છીએ, સમાપ્ત કરી શકીએ છીએ. પરંતુ તેનું રૂપાંતરણ નથી કરી શકતા. આપણે જો ઇચ્છીએ તો રૂપાંસરણ આ અર્થમાં કહી શકીએ છીએ કે આપણે કામની તરફ પ્રવાહિત થતી ઊર્જાની દિશાને બદલી શકીએ છીએ. તેના સિવાય કોઈ રૂપાંતરણ નથી થતું. આથી કામ કે સેકસનું રૂપાંતરણ નહિ પરંતુ સેકસના માર્ગે જનાર ઊર્જાને રીકવી. તેની દિશામાં પરિવર્તન કરવું. એ અપેક્ષિત છે. મહાવીરે લયાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. આ ઘણો જ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. દરેક માણસ પાસે એક આભામંડળ અને એક ભાવમંડળ હોય છે. ભાથમંડળ આપણી ચેતના છે અને ચેતનાની સાથેસાથ જે એક પીંછું – ગલિક સ્થાન છે, તેને આભામંઢળ કહે છે. ચેતના આપણા તેજસ્ શરીરને સક્રિય બનાવે છે. જ્યારે આ વિદ્યુત-શરીર સક્રિય થાય છે ત્યારે એ કિરણોનું ધોરણ કરે છે. આ વિકિરણ માણસના શરીરની ચોતરફ વલયાકારમાં ઘેરી બનાવી લે છે. આ આભામંડળ છે. જેનું ભામંડળ હોય છે તેવું આભામંડળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy