SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ આભામંડળ પડશે. અને જે માણસ એ મર્યાદાનું ઉલ્લંઘન કરશે તેને સજા ફટકારાશે. કાં તો તે પોતે પોતાની વૃત્તિઓને દબાવે અથવા તેને દંડિત થવું પડશે. દમનની આ વાત વ્યાપક છે અને તે સમાજના સ્તર પર ચાલે છે. બીજી વાત છે ભોગની. એ વ્યાપક નથી. એ થોડાક લોકોનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતની પૃષ્ઠભૂમિમાં તેમનું આ ચિંતન છે કે માણસ જે વૃત્તિઓને દબાવે છે, કચડે છે અને તેને ભોગવતો નથી તો એ દબાયેલી વૃત્તિઓ એટલી ભેગી થઈ જશે કે એક દિવસ તેનો ભયંકર વિસ્ફોટ થશે અને માણસ ત્યારે એ વિસ્ફોટનો સામનો નહિ કરી શકે. આથી વૃત્તિઓને દબાવો નહિ, કચડો નહિ પણ તેને ભોગવો. સમાજવ્યવસ્થામાં આ માન્ય નથી. પરંતુ આ સિદ્ધાંતોના પ્રતિપાદકોએ માણસની અંત:ચેતના, અંતર્મન, અવચેતન મનના આધારે આ નિષ્કર્ષ કાઢયો કે વૃત્તિઓનું જે દમન કરવામાં આવશે તો તેનું પરિણામ સારું નહિ આવે. ઘણી બધી લાય લાથ ફોધ આવી રહ્યો છે તેને જે પરાણે રોકવામાં આવશે તો તેનું પરિણામ એ આવશે કે માણસના માથામાં ભકિર દુખાવો ઉપડશે. હૃદય પર પણ હુમલો થશે. માણસ આ હુમલાને જીરવી નહિ શકે. એ દબાયેલી વૃત્તિઓ ભીતર ને ભીતર દુર્ગધ પેદા કરશે, શારીરિક અને માનસિક બીમારીઓ પેદા કરશે. આથી વૃત્તિઓને દબાવો નહિ હું માનું છું કે આ સુંદર સિદ્ધાંત છે. દમન કરૌની આગળની વાત છે દમન ન કરો. મનોવિજ્ઞાનનું આ પ્રતિપાદન ઘણું જ મહત્ત્વનું છે. તેમણે મનના અતલમાં જઈને જે સૂકમ સત્ય શોધ્યા છે, તેમાં સચ્ચાઈ છે. તે માત્ર માનસિક કલ્પનાઓ નથી. પરંતુ તેમાં પણ કશુંક ખૂટે છે. તેમાંય અધૂરાપણું છે. ‘દબાવ નહિ – આટલી વાત તો ઠીક છે. પરંતુ તેનો બેફામ ઉપભોગ કો'– આ વાતની કડવા પરિણામ આવ્યા. “દબાવો નહિ'નો અર્થ બેફામ ઉપભોગ કરીને આ સિક્કાંતના હૃદયને તોડી નાખ. કેટલાક સાધકોએ અધ્યાત્મના નામે, ધર્મ અને ધ્યાનના નામે મુક્તભાગના પ્રયોગ શરૂ કરી દીધા અને એ પ્રયોગથી અધ્યાત્મને લઇને લાગ્યું. આજ આ મુનભોગનો વ્યાપક વિરોધ થઈ. રહ્યો છે. સામાજિક વ્યવસ્થાનો આ વિરોધ છે. ભારતીય સમાજવ્યવસ્થા આ પ્રકારના મુHભોગના પ્રયોગોને માન્ય નથી કરતી આથી વિરોધ થવી વાભાવિક છે. પરંતુ આપણે જે સામાજિક વિરોધને છડી પણ દઈએ અને ઊંડાણમાં ઊતરીને અનુભવના આધારે જોઈએ તો માલુમ પડશે કે ભગ અધ્યાત્મ તરફ નથી થઈ જતો. ક્યારેય કદી નથી લઈ જતો. 'દબાવી નહિ-નો અર્થ પ્રતિભોગ નથી થતો. ફ્રોઈડે કહ્યું કે દમન ન કરવું જોઈએ. સાથોસાથ તેણે એ પણ કહ્યું કે સપ્લિમેશન થવું જોઈએ, ટોર્મેશન થવું જોઈએ – પતરાણ થવું જોઈએ. આપણે બધી વાતને પકડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy