________________
તાણ અને ધ્યાન [૨] ૧૨૯
અમે પૈસા નથી લેતા પરંતુ કપડાં આદિ લઈએ છીએ. અમે દસ રૂપિયાની નોટ નથી લેતા પરંતુ દસ રૂપિયાની કિંમતનાં કપડાં આદિ લઈએ છીએ. તમને પ્રશ્ન થશે કે શું કપડાં રૂપિયા નથી? શું રૂપિયા જેટલું તેનું મૂલ્ય નથી? આ પ્રશ્ન સ્વાભાવિક છે. અમારી પાસે એક પણ પૈસો નથી પરંતુ એક એક હસ્તલિખિત પત્ર એવો છે જેનું મૂલ્ય લાખોમાં આંકી શકાય. એ લાખો રૂપિયાની કિંમતની હોઈ શકે છે. આજ પણ અમારી પાસે એવી વસ્તુઓ છે, છતાં પણ અમે અપરિગ્રહી છીએ. આને સમજો. જે પૈસા રાખે છે તેનો પૈસા સાથે અનુબંધ થઈ જાય છે. તે ઉપયોગિતાનો અનુબંધ ન રહ્યો. મૂર્છાનો અનુબંધ થઈ જાય છે. આ મૂર્છાને તોડવાની છે.
પદાર્થ પદાર્થ છે, વ્યક્તિ વ્યક્તિ છે, આત્મા આત્મા છે. એક બીજા એક બીજાના કામમાં આવે છે. એક બીજા બીજાના ઉપયોગ માટે છે. આ ભાવના જ્યારે પાંગરે છે, ત્યારે સમાજ સ્વસ્થ બને છે. તાણ થવાના ઓછામાં ઓછા પ્રસંગ બને છે. પરંતુ જ્યારે એ ઉપયોગિતા બદલાઈને પૈસો બની જાય છે, સિક્કો બની જાય છે ત્યારે તેની ઉપયોગિતા ખત્મ થઈ જાય છે. અને મૂર્છા માત્ર પૈસાપરસ્ત બની જાય છે.
એ મૂર્છાને તોડવી જરૂરી છે. એથી સામાજિક વ્યવહાર તૂટશે નહિ, ઊલટો વધુ સ્વસ્થ બનશે. એ સંજોગોમાં એ સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે કે જે સમાજવાદ માટે સમસ્યાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org