SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તાણ અને ધ્યાન [૨] ૧૨૫ વિચાર્યું કે વ્યક્તિગત સંપત્તિની વાત સમાજ માટે ઘણી ઘાતક છે અને આ ઘણી મોટી ભ્રાન્તિ છે. આ ભાતિના નિરાકરણ માટે તેમણે કહ્યું: “સંપત્તિ પર વ્યક્તિનો અધિકાર નહિ હોવો જોઈએ. સંપત્તિ વ્યક્તિની નહિ, સમાજની હોવી જોઈએ.' સમ્યગ્દષ્ટિપ્રાપ્ત માણસનું સૂત્ર હશે – સંપત્તિ વ્યક્તિની પણ નથી હોતી, સમાજની પણ નથી હોતી, એ કોઈની પણ નથી હોતી. સંપત્તિ સંપત્તિની હોય છે, પદાર્થ પદાર્થનો હોય છે, તે કોઈનો નથી હોતો. એક સંસ્કૃત કવિએ ભૂમિને એક એવી કન્યા માની છે કે જે સદા કુંવારી છે અને કુંવારી જ રહેશે. તે કોઈની નથી બની અને બનશે પણ નહિ. તેની સાથે કોઈ લગ્ન નહિ કરે. અનેક રાજા-મહારાજા આવ્યા. અનેક શક્તિસંપન્ન સમ્રાટ થઈ ગયા. તેમણે માની લીધું કે અમુક ભૂ-ભાગ પર તેમનો અધિકાર છે. પણ આ ભ્રમણા હતી. ભૂમિ કોઈની ન બની. બધા આવ્યા અને ગયા. પદાર્થને પોતાનો માનવો એ ભ્રમ છે, ભૂલ છે. અધ્યાત્મનું સૂત્ર છે, સંપત્તિ ન વ્યક્તિની છે, ન સમાજની. તે પદાર્થ છે. પદાર્થ પદાર્થ હોય છે. તે કોઈનો નથી હોતો. બધા જ પદાર્થ પોતપોતાના સ્વરૂપમાં હોય છે. કોઈ પદાર્થ કોઈનો નથી હોતો. આ સૂત્ર ઉપલબ્ધ થતાં જ સમસ્યાઓ ઊકલી શકે છે. સંપત્તિને વ્યક્તિગત માનવાથી સમસ્યા ગૂંચવાય છે તેનો અનુભવ સમાજે ર્યો. વ્યક્તિગત સંગ્રહથી વિષમતા ફેલાય છે. સમસ્યાઓ વધે છે. તેનું કોઈ સમાધાન નથી થતું. આથી સંપત્તિ સમાજની હોવી જોઈએ. વ્યક્તિગત માલિકીને મિટાવી દેવી જોઈએ. આ ચિંતન લગભગ બે અબજ માણસોનું છે: જેઓ સમાજવાદી નથી તેઓમાંથી પણ કેટલાક આ ભાષામાં બોલે છે, વિચારે છે. આમ માનવું એ માત્ર ભૂલનો સુધારો માની શકાય. પરંતુ તેનાથી અગાઉની ભૂલ જેવી છે તેવી જ રહે છે. જ્યાં સુધી એ ભૂલને સુધારવામાં નહિ આવે ત્યાં સુધી સમસ્યા નહિ ઊકલે. આજ સમાજવાદની સ્થાપના બાદ પણ, સામ્યવાદ પ્રચલિત થવા છતાં પણ સમસ્યાઓ ઊકલી નથી. વ્યક્તિ સમસ્યાહીન નથી બની. આજ સામ્યવાદી દેશમાં પણ નાગરિક ઘણી અનૈતિકતા આચરે છે. લાખો કરોડોના ગોટાળા કરે છે. આ એટલા માટે થાય છે કે સામ્યવાદી માન્યતાથી એક ભૂલ જરૂર સુધરી પરંતુ બીજી ભૂલ સુધરી ન શકી. જ્યાં સુધી માણસ આ માનશે નહિ, જાણશે નહિ કે પદાર્થ પદાર્થ છે, તે કોઈનો નથી, ત્યાં સુધી ગોટાળાઓ થતા અટકશે નહિ. અનીતિ અને અપ્રામાણિકતા અટકશે નહિ. આપણે જે દિશાપરિવર્તન ચાહીએ છીએ તે આ છે– પદાર્થ પદાર્થ રહે. માણસ માણસ રહે. પદાર્થ અને માણસ વચ્ચે સંબંધ ન બંધાય, અરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy