________________
૧૨૪ આભામંડળ
ધ્યાન કરનાર બધા સાધક સાધુ-સંન્યાસી નથી હોતા, ગૃહસ્થ પણ હોય છે. સાધુ-સંન્યાસીને પણ ઘણા પદાર્થની જરૂર રહે છે. તે પણ ખાય છે, પીએ છે, પહેરે છે, બધા જ પદાર્થો–વસ્તુઓને છોડીને કેવી રીતે જીવી શકે? હું માનું છું કે જે માણસ પદાર્થનો દ્વેષ કરે છે, તેની ધૃણા કરે છે, ધુત્કારે છે તો સમજવું જોઈએ કે તેનામાં કોઈ આત્મગ્લાનિ થઈ ગઈ છે. મનોવિકૃતિ પેદા થઈ ગઈ છે. વસ્તુ અને વ્યક્તિને છોડી નથી શકાતાં. પણ તેમના પ્રત્યેના મિથ્થાના દૃષ્ટિકોણને છોડી શકાય છે.
જેઓ સાધના શિબિરોમાં આવે છે તેઓ પદાર્થને છોડવા માટે નથી આવતા. પદાર્થને છોડવા માટે આવે તો કદાચ તેના કુટુંબીજનો તેને આવવા જ ન દે. પત્નીને ખબર પડે કે પોતાને છોડી જવા માટે પતિ ત્યાં – શિબિરમાં જાય છે તો ભાગ્યે જ કોઈ પતિ અહીં આવી શકે. કોઈ પતિને ખબર પડે કે પોતાને છોડી જવા પત્ની ત્યાં જઈ રહી છે તો ભાગ્યે જ કોઈ પત્ની અહીં આવે. શિબિરમાં કોઈ કોઈ દંપતી પણ આવે છે, પતિ-પત્ની સાથે આવે છે. બંનેને ખબર પડી જાય તો તેઓ બીજી દિશામાં ચાલ્યાં જાય. અહીં ન આવે.
શિબિરમાં પદાર્થ છોડવા કોઈ નથી આવતું. તેઓ મિથ્યા દૃષ્ટિકોણને બદલવા આવે છે. આપણે એક મિથ્યા દૃષ્ટિ બનાવી લીધી અને આપણે પદાર્થને પદાર્થના રૂપમાં ન જાગ્યો, પદાર્થને યથાર્થ રૂપમાં ન જાણ્યો, ન જોયો. આપણું પોતાનું આવરણ ઓઢાડીને આપણે પદાર્થને જોઈએ છીએ. જે દૃષ્ટિએ તેને જોવા જોઈએ તે દૃષ્ટિએ તેને જોતા નથી. ઘણી મોટી આ ભ્રમણા અને ભારિત છે.
ધ્યાનની દિશાનું પરિવર્તન ત્યારે જ થશે કે જ્યારે આપણી સમ્યગ્દષ્ટિ જાગશે. માત્ર કાયોત્સર્ગ કે શિથિલીકરણથી દિશા નહિ બદલાય. પદ્માસન કે કોઈ આસન દિશા પરિવર્તનના મુખ્ય હેતુ નથી. પદ્માસનમાં બેઠાં બેઠાં કોઈને મારવાની યોજના પણ બનાવી શકાય છે. આંખો બંધ કરીને બેઠાં બેઠાં કોઈને ધોખો દેવાની, કયાંક ચોરી કરવાની યોજના પણ બનાવી શકાય છે. એનાથી દિશાપરિવર્તન નથી થતું. દિશાપરિવર્તન ત્યારે જ થાય છે જ્યારે સમ્યગ્દષ્ટિ જાગે છે. સમ્યગ્દષ્ટિની જાગૃતિનું પરિણામ આ છે કે માણસ પદાર્થને માત્ર પદાર્થની દૃષ્ટિએ જુએ, તેને ગમા-અણગમાની નજરે ન જુએ. આજ પૈસાની સમસ્યા જટિલ કેમ બની છે? એટલા માટે બની કે આપણે પૈસાને પૈસાની દષ્ટિએ નથી જોતા. પૈસાને માત્ર ભાવનાત્મક નજરે જોઈએ છે. આપણી નજરે જોઈએ છીએ, સત્યની નજરે નથી જોતા.
દુનિયામાં પદાર્થ હતા, છે અને રહેશે. “સંપત્તિ વ્યક્તિની નહિ, સમાજની છે – સમાજવાદે આપેલા આ સૂત્રથી મારા મતે ભૂલમાં થોડોક સુધારો થયો છે. માણસ સંપત્તિને પોતાની માની બેઠો હતો. સમાજવાદના મનીષીઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org