________________
૧૨૨ આભામંડળ અનુરાગની દિશા બદલી નાખો. અનુરાગની દિશા જે વસ્તુ અને વ્યક્તિ સાથે જોડાયેલી છે તેને બદલીને આપણા અસ્તિત્વની સાથે જોડવાની છે.
ભગવાન મહાવીરને કોઈએ પૂછ્યું: “હે ભગવન્! ધર્મ-શ્રદ્ધાથી શું થાય છે? ધર્મ પ્રત્યે અનુરાગ થવાથી શું થાય છે?
ભગવાને કહ્યું: “ધર્મ પ્રત્યે અનુરાગ થવાથી અનુસુકતા જન્મે છે. અર્થાત જે ઉત્સુકતા હોય છે તે સમાપ્ત થઈ જાય છે. એમના પ્રત્યે જ્યારે ઉત્સુકતા સમાપ્ત થઈ જાય છે ત્યારે બીજા પ્રત્યે ઉત્સુકતા જાગે છે.’
પદાર્થ પ્રત્યે રહીસહી ઉત્સુકતા જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે ધર્મ પ્રત્યે ઉત્સુકતા જાગે છે. આને આ પ્રમાણે પણ કહી શકાય કે જ્યારે ધર્મ પ્રત્યે ઉત્સુકતા જાગે છે ત્યારે પદાર્થ પ્રત્યે અનુત્સુકતા પેદા થાય છે. ઉત્સુકતા એક પર જ હશે. કાં પદાર્થ પર, કાં ધર્મ પર. બંને ઉપર ઉત્સુકતા નથી હોતી. એકસાથે બે ઘોડે સવારી નથી થતી. આપણી ઉત્સુકતા, આપણી શ્રદ્ધાને આપણે બંને તરફ લઈ નથી જઈ શકતા. પદાર્થ પ્રત્યે ઉત્સુકતા છે તો ધર્મ પ્રત્યે ઉત્સુકતા નહિ રહે. ધર્મ પ્રત્યે ઉત્સુકતા છે તો પદાર્થ પ્રત્યે ઉત્સુકતા નહિ રહે. ઉત્સુકતાનો પ્રવાહ જે તરફ જશે તે દિશાને તે લાભ આપશે અને બીજી દિશા આપોઆપ હટી જશે.
આપણે આપણી ઉત્સુકતાને ચૈતન્યની દિશામાં પ્રવાહિત કરવાની છે. પદાર્થ પ્રત્યે આપણી ઉત્સુકતા જેટલી ગાઢ હશે તેટલી જ તાણ મનમાં ભરાઈ જશે. તાણથી આપણે એટલા માટે પીડાઈ રહ્યા છીએ કે આપણી તમામ શ્રદ્ધા, આપણું બધું જ આકર્ષણ પદાર્થ પ્રત્યે છે, બીજા પ્રત્યે નથી, પોતાના પ્રત્યે નથી. બીજાને પ્રત્યે હોય છે ત્યારે મનમાં તણાવ ભરાઈ જાય છે. તાણનું મૂળ કારણ છે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, તાણનું કારણ પણ ધ્યાન છે અને તેનું નિવારણ પણ ધ્યાન છે. ધ્યાનથી જ તાણ પેદા થાય છે અને ધ્યાનથી જ તાણ દૂર થાય છે. આપણા મનની એકાગ્રતા જ્યારે પદાર્થને મેળવવામાં અને તેને સાચવવામાં લાગે છે ત્યારે મન તાણથી ભરાઈ જાય છે અને મનની એકાગ્રતા જ્યારે પદાર્થ પરથી હટીને પોતાના આંતરિક અનુભવમાં લાગે છે ત્યારે તાણ આપોઆપ દૂર થવા લાગે છે.
તાણનું સૌથી મોટું કારણ છે, આર્તધ્યાન. પદાર્થ પ્રત્યે થનારી એકાગ્રતા.
તાણનું સૌથી મોટું કારણ છે, રૌદ્રધ્યાન. પદાર્થની સુરક્ષા માટે થતી દૂર એકાગ્રતા, ક્રૂરતમ એકાગ્રતા.
આર્ત અને રૌદ્ર ધ્યાનમાં લેશ્યાઓ વિકૃત બની જાય છે. એ સમયે કાળી લેગ્યાઓ હોય છે અને ધૂમ વર્ણની – ધુમાડિયા રંગની લેશ્યા હોય છે. એ સમયે આભામંડળ વિકૃત થઈ જાય છે. ભાવતંત્ર વિકૃત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org