SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તાણ અને ધ્યાન [૨] ૧૨૧ આપતો જેટલું દુ:ખ રોગનો ભય આપે છે. કયારેક કયારેક રોગની ખબર નથી પડતી પરંતુ જ્યારે ડૉકટર કહે છે કે તમને અમુક રોગ થયો છે અને હવે વધુ જીવવાની આશા નથી ત્યારે આ રોગનો ભય, મૃત્યુનો ભય વધુ ભયંકર બની જાય છે. રોગ જેટલો ભયંકર નથી એટલો ભયજનક છે રોગનો ભય. મરવું જેટલું દુ:ખદ નથી તેટલો દુ:ખદ છે મરણનો ભય. આપણે હજારો પ્રકારના ભયને પાળ્યા છે. ભય એટલા માટે પોષાઈ રહ્યા છે કે એની પશ્ચાદ્ભૂમાં પ્રિયતાની ભાવના છે. ત્યાં રાગ કામ કરી રહ્યો છે. આપણે એટલા ગભરાઈ રહ્યા છીએ કે ક્યાંક જે પ્રિય છે– ગમે છે તે છૂટી ન જાય. પદાર્થ છૂટી ન જાય, શરીર છૂટી ન જાય, પ્રિયજનોનો સંબંધ છૂટી ન જાય, ધન ચાલ્યું ન જાય. આ ભયે માણસને એક ધ્યાનમાં નાખી દીધો. માણસ એ ધ્યાનમાં સતત વહેતો જાય છે. દરેક માણસ ધ્યાન કરે છે. સાધક જ ધ્યાન ધરે છે એવું નથી. દરેક જીવધારી ધ્યાન કરે છે. બાળક ધ્યાન કરે છે. વૃદ્ધ ધ્યાન કરે છે. પુરુષ પણ ધ્યાન કરે છે અને સ્ત્રી પણ ધ્યાન કરે છે. તમે એમ ન માનશો કે પ્રેક્ષાધ્યાન-શિબિરમાં આવીને જ તમે ધ્યાન કરો છો. તમે વરસોથી તમારા ઘરે ધ્યાન-શિબિર ચલાવી રહ્યા છો. અહીં તો તમે માત્ર દિશાપરિવર્તન માટે આવ્યા છો, ધ્યાન માટે નહીં. જે દિશામાં તમારા ધ્યાનની ધારા વહી રહી હતી તેની દિશા બદલવા તમે અહીં આવ્યા છો. ઘરે જે ધ્યાન થઈ રહ્યું હતું તે તો પ્રિયતા-રાગ અને ભયથી સંચાલિત હતું. ઘરે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થઈ રહ્યું હતું. વિષયોને મેળવવા અને તેની સુરક્ષાનું ધ્યાન થઈ રહ્યું હતું. પદાર્થોને પ્રાપ્ત કરવાનું ધ્યાન અને તેની સુરક્ષાનું ધ્યાન–આ ધ્યાન સતત ચાલતું રહે છે. દિવસ-રાત ચાલે છે. આ ધ્યાન ઊંઘતાં પણ ચાલે છે અને જાગતાં પણ ચાલે છે. પ્રેક્ષા ધ્યાન માત્ર જાગ્રત અવસ્થામાં જ થાય છે. ઊંઘમાં તે નથી થતું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરંતર ચાલતું ધ્યાન છે. તમે આ પ્રકારના ધ્યાનથી ટેવાઈ ગયા છો. તમે એમ ન કહેશો કે તમારું મન સ્થિર થતું નથી, એકાગ્ર બનતું નથી. આમ માનવું એ ભ્રમણા છે. તમારી આ ભ્રમણાનો ભાર મારા પર ન નાખી દેતા. હું માનું છું કે તમારું મન ઘણું ટકે છે, સ્થિર રહે છે. એ એટલું એકાગ્ર થાય છે કે તેટલું એકાગ્ર કદાચ કોઈ સંન્યાસીનું પણ નથી થતું. છતાં પણ તમે આ પ્રેક્ષા-ધ્યાન-શિબિરોમાં આવો છો. એટલા માટે આવો છો કે તમે દિશાપરિવર્તન કરવા ઇચ્છો છો. જ્યાં મન ટકે છે ત્યાં એ ન ટકે અને જ્યાં એ નથી ટકતું ત્યાં એ ટકે – માત્ર આટલું જ પરિવર્તન કરવા માટે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ થાય છે. તમે તમારી જાતને સરળ રહેવા દો, છુપાવો નહિ. એટલું કરો કે જે પ્રિયતાની અનુભૂતિ જોડાયેલી છે, તેને વળાંક આપો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy