SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ આભામંડળ નીચાણનો કોઈ સાપેક્ષ અર્થ હોય છે. સમથળમાં ઊંચાણ-નીચાણ કશું નથી હોતું. બધા જ લોકો સમાન જ હોય તો અભિમાનને ઊછરવાનો અવસર જ નથી મળતો. અભિમાન ત્યારે જ થાય છે કે જ્યારે કોઈની પાસે કંઈક હોય અને બીજા પાસે કંઈ ન હોય. માયાએ અભિમાનને જન્મ આપ્યો અને અભિમાને ક્રોધને. અભિમાન ન હોય તો ક્રોધ નથી થતો. ક્રોધ થવા માટે અભિમાનનું હોવું જરૂરી છે. ક્રોધ નથી આવતો તો અહંકાર પર ચોટ લાગે છે, અભિમાન પર ઘા થાય છે. અહંકાર પર ઘા થયા વિના ક્રોધ નથી થતો. અભિમાન એટલે મારાપણું. તમે કોઈને પોતાના માની લીધા, આ મારો પુત્ર છે, પુત્રી છે, પત્ની છે, પિતા છે, માતા છે, મારો ભાઈ છે, મારો મિત્ર છે. જેને પોતાના માની લીધા, મારા માની લીધા એ જો થોડીક પણ અવગણના કરે તો ક્રોધ થઈ આવે છે. જે પોતાના નથી તે કેટલી પણ અવગણના કરે એટલો ક્રોધ નથી ચડતો. પોતાની વ્યક્તિ અનાદર–ઉપેક્ષા કરે તો ગુસ્સો ચડે છે. ગુસ્સા માટે, ક્રોધ માટે પોતાપણું, મારાપણું ઇંધણ છે. આગ માટે ઇંધણ અપેક્ષિત છે. ક્રોધ આગ છે, અહંકાર, મમકાર તેને ભડકાવનાર ઈંધણ છે. અહંકારની જો ઊ ન મળે તો ક્રોધ બુઝાઈ જાય છે. ક્રોધ આપણા વ્યક્તિત્વને અભિવ્યક્ત કરનાર સાધન છે. ક્રોધ સુધી પહોંચતાં જ આપણા વ્યક્તિત્વની અભિવ્યક્તિ થઈ જાય છે. રાગ, લોભ, માયા, અહંકાર–આ બધાં તત્ત્વો સામાજિક સંબંધોમાં કામ કરે છે. આ બધાં તત્ત્વ તાણ પેદા કરે છે. પ્રિયતાની અનુભૂતિ થાય છે અને તાણ બની જાય છે. પ્રિયતાની સાથે સંબંધ બંધાઈ જાય છે, તેવું એક ધ્યાન શરૂ થઈ જાય છે. ધ્યાનનું આદિબિન્દુ પણ આ છે રાગ, સામાજિકતાનું આદિબિન્દુ પણ રાગ છે. જેના પ્રત્યે રાગનો સંબંધ જોડાયો કે તેના પ્રત્યે એક ગાઢ– ઊંડું ધ્યાન શરૂ થઈ જાય છે કે ક્યાંક તેનો વિયોગ ન થાય. આર્તધ્યાન શરૂ થઈ જાય છે. આર્તગવેષણાનો પ્રારંભ થાય છે. લોભ આગળ ચાલ્યો. ભય પેદા થયો. પ્રિયતા-રાગથી લોભનો જન્મ થાય છે અને લોભથી ભય જન્મે છે. તાણ વધારનાર તત્ત્વોમાં ભયની મુખ્ય ભૂમિકા રહે છે. ભય ઘણી બધી તાણ પેદા કરે છે. ભય લોભનો ઉપજીવી છે. કોઈ પણ વસ્તુને પકડી રાખવી તે ભય છે. શરીર હોવું એક વાત છે અને શરીરને પકડી રાખવું, મમત્વના દોરાથી બાંધી રાખવું તે બીજી વાત છે. શરીરને આપણે એટલા માટે પકડી રાખ્યું છે કે આપણા મનમાં આ ભય છવાયેલી છે કે શરીર ક્યાંક છૂટી ન જાય. મરવું એટલું મુશ્કેલ અને દુ:ખદાયી નથી, જેટલું મરવાનો અને દુ:ખદાયી થવાનો ભય છે. મરવાનો ભય જ ઘણી મોટી સમસ્યા છે. રોગ એ દુ:ખ છે પરંતુ રોગ એટલું દુ:ખ નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy