SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તાણ અને ધ્યાન [૨] ૧૧૯ એકબીજાથી બંધાયા કે સંબંધ થયો ત્યાં સામાજિકતા શરૂ થઈ જાય છે. રાગ માણસોને બાંધે છે. તે માણસોને પદાર્થથી સાંકળે છે. રાગ નથી હોતો તો માણસ પદાર્થ-પ્રતિબદ્ધ નથી હોતો. રાગ નથી હોતો તો એક માણસ બીજા માણસથી નથી જેડાતો. માણસ ત્યારે એકલો હોય છે, માત્ર એકલો. કોઈ કોઈની સાથે નથી જોડાવું. જ્યાં જોડાવાનો પ્રશ્ન છે ત્યાં રાગ હોવો જરૂરી છે. રાગ વિના કોઈ કેવી રીતે જોડાઈ શકે? એક પરમાણુ પણ જો બીજા પરમાણુ સાથે જોડાય છે તો ત્યાં પણ રાગનું હોવું, ચીકાશનું હોવું જરૂરી છે. સ્નિગ્ધતા વિના બંધ નથી થતો. આ જે પૉઝિટિવ પ્રક્રિયા છે, વિધાયકતા છે તે રાગ છે, સ્નેહ છે, સ્નિગ્ધતા છે. એ જ બંધન કરે છે, બંધનમાં બાંધે છે. રાગથી બંધન શરૂ થાય છે. રાગથી બીજાની સાથે સંબંધ કે સંપર્ક બંધાય છે. એ પછી એ રાગ–ચેતનાના કણ આગળ ને આગળ તરંગ બનાવતા જાય છે અને લોભનો જન્મ થાય છે. ત્યારે માણસ સંગ્રહ તરફ વળે છે અને વધુ ને વધુ મેળવવા પ્રયત્ન કરે છે. રાગથી જન્મે છે લોભ અને લોભથી જ જન્મે છે માયા. મનમાં લોભ પેદા થાય છે ત્યારે પરિગ્રહની ભાવના જાગે છે અને માયા ઉત્પન્ન થાય છે. માયા વિના સંગ્રહ નથી થઈ શકતો. છુપાવ્યા વિના સંગ્રહ નથી થઈ શકતો. જે છાનું રાખવાનું નથી જાણતો તે સંગ્રહ કરવાનું પણ નથી જાણતો. જે છુપાવાની કળામાં નિપુણ છે તે વિપુલ સંગ્રહ કરી શકે છે. તમે હીરા-મોતી, સોનું-ચાંદી ખુલ્લામાં મૂકી દો તો સવારે એ ગાયબ થઈ જાય. તેને સાચવવા માટે તેને સંતાડવું જરૂરી છે. દુનિયામાં સંતાડવાનાં, છુપાવવાનાં કેટલાં સાધન છે? જેટલાં વધુ સાધન છે તેનાથી વધુ માયા છે. સંગ્રહને સાચવવા માટે, લોભની પૂર્તિ માટે કે લોભ દ્વારા પ્રાપ્ત ઉપકરણોની સુરક્ષા માટે માયાને જન્મ લેવો જરૂરી બને છે. માણસ જ્યારે સંગ્રહ કરવાનું શીખ્યો ત્યારે જ તે માયા કરવાનું પણ શીખ્યો. રાગે જન્મ આપ્યો લોભને લોભે જન્મ આપ્યો માયાને. માયાએ જ જન્મ આપ્યો અહંકારને – અહંભાવને. માયાનો વિસ્તાર થયો. માણસ પાસે ઘણું બધું થઈ ગયું તો માણસે કેટલીક પોતાની માન્યતાઓ બનાવી. હું મોટો છું. મારી પાસે ઘણું છે. હું માલિક છું. મારી પાસે આટલું બધું છે આમ અહંકાર જન્મે છે. મારી પાસે છે, એની પાસે નથી – એનો અર્થ જ એ છે કે હું મોટો છું, તે નાનો છે. આ સંગ્રહે મોટાઈ અને નાનાઈને પણ જન્મ આપ્યો. નાના વિના કોઈ મોટો નથી બની શકતો. અભિમાન માટે અનિવાર્ય છે કે કોઈ નીચો હોય. જો કોઈ નાનો ન હોય, ઓછો ન હોય, સમાન જ હોય તો બિચારું અભિમાન શું કરે? અભિમાન થયું તોય શું અને ન થયું તોય શું? સમાનતામાં કયારેય અભિમાન નથી હોતું. ઊંચાઈ હોય છે ત્યારે ખાડાની ખબર પડે છે. ઊંચાણ હોય, અને ખાડો હોય, ત્યારે ઊંચાણ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy