________________
તાણ અને ધ્યાન [૧] ૧૧૫ આપણે ચાલ્યા અને કોધની ચેતના સુધી પહોંચી ગયા. આપણા વ્યક્તિત્વનો વિસ્તાર થયો અને આપણો એક એક પર્યાય પ્રકટ થતો ગયો. આથી આગમકારોએ કમ આપ્યો, ક્રોધ, માન, માયા અને લોભ. આ ક્રમ નિરર્થક નથી. તેમણે લોભ, માન, માયા, ક્રોધ – આ ક્રમ કેમ ન રાખ્યો? શબ્દોનો કમ એમ જ નથી રાખી દેવાતો. ઊંડાણથી વિચારીશું તો સચ્ચાઈ માલુમ પડશે. આપણે જ્યારે વ્યક્તથી અવ્યક્ત તરફ જઈએ છીએ ત્યારે પ્રથમ ક્રોધ આવે છે. ક્રોધથી ચાલીશું તો અહંકાર થશે. ક્રોધ અહંકારમાં વિલીન થઈ જશે. અહંકારથી ચાલીશું તો અહંકાર માયામાં વિલીન થઈ જશે. માયાથી ચાલીશું તો લોભમાં એ વિલીન થઈ જશે.
તાણ – તનાવ સંબંધમાં મેં ચર્ચા શરૂ કરી. આજ તેની થોડીક જ બાજુઓને છેડી છે. વિસ્તૃત ચર્ચા પછી કરીશ.
પ્રશ્ન : ભગવાન મહાવીરની ભાષાને સૌ પોતપોતાની રીતે સમજી લેતા હતા. એ ધ્વનિતરંગોને સમજવાનો ઉપાય શું છે?
ઉત્તર: તરંગોને સમજવાનો એ જ ઉપાય છે જે આપણે કરી રહ્યા છીએ. જ્યાં સુધી વિચારો અને સંવેદનો ઉપર નિયંત્રણો નહિ મુકાય ત્યાં સુધી તરંગોની ભાષા નહિ સમજાય. આપણે લેશ્યાઓની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે વેશ્યાની ભાષા તરંગોની ભાષા છે. જે માણસ વેશ્યાની ભાષા સમજી શકે છે તે તરંગોની ભાષા સમજી શકે છે. તરંગોની ભાષા મનની ભાષામાં, ચિત્રોની ભાષામાં આવી જાય છે ત્યારે આપણે તેને સમજી શકીએ છીએ. ચિત્રોની ભાષા અક્ષરોની ભાષામાં બદલાઈ જાય છે ત્યારે આપણે આપણી ચેતનાને સમજી શકીએ છીએ અને તેને ગ્રહણ કરી શકીએ છીએ. આપણે તરંગોનો વિકાસ કરવો છે તો આપણે વેશ્યા-જગતમાં જવું પડશે અને વેશ્યા
ગતમાં ત્યારે જઈ શકાય છે કે જ્યારે આપણે આપણા વિચારો અને સંવેદનાઓ પર સંયમ – નિયંત્રણ કરવાનું શીખી જઈએ. આપણે શ્વાસને જોવાનો અભ્યાસ કરીએ છીએ. શ્વાસ સિવાય બીજું કંઈ ન જોઈએ, માત્ર શ્વાસને જ જોઈએ. આ સંવેદન અને વિચારોના નિયંત્રણનો માર્ગ છે. આ અભ્યાસ જેમ જેમ વિકસિત થતો જશે તેમ તેમ તરંગોની ભાષાને સમજવામાં એટલા જ સક્ષમ થતા જઈશું.
પ્રશ્ન ૨: શું મહાવીરના સમયમાં બધા જ લોકોમાં અને પશુપક્ષાઓમાં આ ક્ષમતા હતી?
ઉત્તર ૨: વક્ર પ્રશ્ન છે. પશુપક્ષીઓમાં સંવેદનાને સમજવાની શક્તિ માણસો કરતાં વધુ વિકસિત છે. કારણ તેઓ પોતાના સ્ત્રોતો પર ભરોસો ન રાખતાં પોતાના સમગ્ર શરીર પર ભરોસો રાખે છે. માણસે પોતાના સ્ત્રોતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org