SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તાણ અને ધ્યાન [૧] ૧૧૧ પૉલિગ્રાફની સોય તરત જ તેનું ખંડન કરતી. ગ્રાફ પર એવું અંકન થયું કે જેથી સહજ સમજાતું હતું કે યુવતી ખોટું બોલી રહી છે. પુશ્કિને નિષ્કર્ષ કાઢો કે માણસના નાડી-તંત્ર સાથે છોડનો કોઈ ગાઢ સંબંધ છે. આવા પ્રયોગ અનેક જગાએ થઈ રહ્યા છે અને વનસ્પતિના વિષયમાં નવી નવી જાણકારીઓ પ્રકટ થઈ રહી છે. માણસ અને વનસ્પતિ બંને ચેતન છે. માણસની ચેતના વિકસિત છે, સંકલ્પ પ્રસ્ફુટિત છે. તેની ઇન્દ્રિયો સ્પષ્ટ છે, ઇન્દ્રિયોનું તંત્ર સ્પષ્ટ છે. મનનું તંત્ર બની ગયું. બુદ્ધિનું કેન્દ્ર બની ગયું. વનસ્પતિમાં આ બધું નથી. પરંતુ જાણવાવાળો જે આત્મા છે તે તેનામાં વિદ્યમાન છે. માણસ પોતાની વિશિષ્ટ સંરચિત તંત્રો દ્વારા જાણે છે જ્યારે વનસ્પતિ પોતાના સમગ્ર શરીરથી જાણે છે. આત્મા સમગ્ર શરીરમાં વિદ્યમાન છે. આત્મા સમગ્ર શરીર દ્વારા પુદ્ગલોને ગ્રહણ કરે છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે, ‘સન્ટ્રેળ સબ્વે', આપણી ચેતનાના અસંખ્ય પ્રદેશ છે. દરેક પ્રદેશ દ્વારા આત્મા જાણે છે. માત્ર કોઈ એક પ્રદેશથી નથી જાણતો. બધા જ પ્રદેશોથી જાણે છે. તમે એમ ન માનશો કે આપણે આંખોથી જ જોઈ શકીએ છીએ, મગજથી જ વિચારી શકીએ છીએ. આપણે સમગ્ર શરીરથી જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ. ઍકનૂપંકચરના વિજ્ઞાનીઓએ આપણા શરીરમાં સાતસો ચૈતન્ય કેન્દ્ર શોધ્યાં છે. જે મગજમાં છે તે કેન્દ્ર અંગૂઠામાં પણ છે. જે મગજમાં છે તે કેન્દ્ર આંગળીઓમાં પણ છે. પિનિયલ, પચ્યૂટરી અને થાઇરૉઇડનાં જે સ્થાન છે તે સ્થાન હાથ અને પગમાં પણ છે. આપણું સમસ્ત શરીર ચેતનાનું કેન્દ્ર છે. તેમાં જાણવાની અપાર ક્ષમતા છે. કાન અવાજ પકડવાનું માધ્યમ છે પરંતુ જેમને કાન નથી તેઓ સમગ્ર શરીરથી અવાજને પકડે છે. શરીરની સંવેદના એટલી શક્તિશાળી થઈ જાય છે કે સમગ્ર શરીરથી તે અવાજને પકડી લે છે. અવાજને પકડવાની જરૂરત પણ નથી. અવાજને પકડવાના માધ્યમથી કાનને વિકસિત કરીને આપણે અવાજને સીમિત કરી દીધો. આપણે કાન પર એટલા નિર્ભર થઈ ગયા કે આપણે માત્ર કાનથી જ સાંભળી શકીએ છીએ. અતીન્દ્રિય ક્ષમતાઓ વિસ્તૃત થઈ ગઈ. અવાજ ત્યારે થાય છે જ્યારે કોઈ બોલે છે. અવાજ કોઈ મોટી વાત નથી. મોટી વાત છે તરંગ. જે માણસો તરંગોને, સૂક્ષ્મ પ્રકંપનોને પકડી શકે છે તે જેટલું જાણી શકે છે તેટલું અવાજ સાંભળનાર નથી જાણી શકતો. આપણે ઇન્દ્રિયો પર એટલા નિર્ભર થઈ ગયા છીએ કે કાનોમાં કોઈ શબ્દ પડે છે તો જ તે આપણે સાંભળી શકીએ છીએ. કાનની ક્ષમતા સીમિત છે. અમુક ફ્રીકવન્સીના જ શબ્દ સાંભળી શકીએ છીએ, પકડી શકીએ છીએ. પરંતુ જે માણસ પ્રકંપનોને પકડી શકે છે, એ સૂક્ષ્મ ધ્વનિઓને પકડી શકે દે, જાણી શકે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy