SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આભામંડળ અને સિદ્ધાંતનો જ સહારો લીધો. આજના વિજ્ઞાનની દોટમાં દર્શન એટલું પાછળ રહી ગયું કે જાણે બંને વચ્ચે કોઈ સંબંધ જ ન હોય. વાસ્તવમાં દર્શન અને વિજ્ઞાન બે નથી. વિજ્ઞાન દર્શનથી ભિન્ન નથી અને દર્શનવિજ્ઞાનથી ભિન્ન નથી. દર્શન પિતા છે તો વિજ્ઞાન પુત્ર છે. પિતા પુત્રથી કે પુત્ર પિતાથી સર્વથા ભિન્ન ન હોઈ શકે. પરંતુ આજ તે સર્વથા ભિન્ન પ્રતીત થાય છે. એવું નથી કે આ માત્ર બે પેઢીઓ વચ્ચેનું જ અંતર છે, પણ એવું લાગે છે કે જાણે બંનેના માર્ગ સ્વતંત્ર છે. તે બંને વચ્ચે કોઈ સગપણ નથી, સંબંધ નથી. પિતા-પુત્રનો સંબંધ તો છે જ નહિ. આજે દર્શનને નવું રૂપ આપવાની જરૂર છે. તેને જો નવું રૂપ નિહ અપાય તો દર્શન સર્વથા પ્રયોગશૂન્ય અને અર્થશૂન્ય બની જશે. હું પોતે દર્શનના ગ્રંથો લખતો રહ્યો, દર્શન પર ચિંતન-મનન કરતો રહ્યો પરંતુ તે સઘળુંય તર્કની સીમામાં હતું. તર્કની પરિક્રમા ફરતું હતું. તર્કની સીમાને ઉલ્લંઘીને પોતાના અનુભવની વાત કહું એવું ન બન્યું. એવું લાગતું પણ ન હતું કે આ તર્કની સીમાનું અતિક્રમણ કરવું જોઈએ. પરંતુ જ્યારે અધ્યાત્મની સીમામાં પ્રવેશ કરીને અનુભવ કર્યો ત્યારે થયું કે જે દર્શન લખાઈ રહ્યું છે તે દર્શન નથી, એ તો છે માત્ર શાસ્ત્રોનું અને ગ્રંથોનું સંકલન. એ તો છે માત્ર વર્તમાનની ભાવ-ભાષામાં રજૂઆત. આ સંદર્ભમાં મને અનુભવ થયો કે દર્શનને નવું સ્વરૂપ મળવું જોઈએ. એ મળી શકે છે માત્ર અનુભવની ધરા પર, પ્રયોગ અને પરીક્ષણની જમીન પર. જ્યારથી દાર્શનિકોએ સ્વાનુભવ અને સ્વસંવેદનની તથા પ્રયોગ અને પરીક્ષણની વાત પડતી મૂકી ત્યારથી દર્શનનો વિષય અવરુદ્ધ બની ગયો. તેનો ઉન્મેષ અટકી પડયો. એ જ્યાં હતું ત્યાં જ રહી ગયું. આવી હાલતમાં જૂના ગ્રંથોની વ્યાખ્યા કરવામાં પણ મુશ્કેલી પડવા લાગી. એક ઉદાહરણ આપું. જૈન સૂત્રોમાં વનસ્પતિમાં જીવત્વ અંગે અનેક સ્થળે ચર્ચા છે. આ વિષયની ચર્ચા અન્યત્ર દુર્લભ છે. આગમકારો દાર્શનિક હતા. સ્વયં દ્રષ્ટા હતા. તેમણે સાક્ષાત્કારના આધારે નિરૂપણ કર્યું. આ અનુભવની વાત હતી, માત્ર જ્ઞાનની વાત ન હતી. સાક્ષાત્કારથી ઉપલબ્ધ સત્યનું પ્રરૂપણ હતું, માત્ર બૌદ્ધિક કસરત કંઈ ન હતી. તે તેમનું પોતાનું ‘સ્વ’ હતું. પરંતુ તેમની પછીના આગમવ્યાખ્યાકાર તર્કના જગતમાં જન્મ્યા હતા. તેમને પોતાનો અનુભવ નહોતો. તેમને પોતાનું સંવેદન ન હતું. વનસ્પતિ જેવા અવ્યક્ત ચેતનાધારી જીવો સાથે તેમનો કોઈ સીધો સંબંધ ન હતો. આથી સાક્ષાત દ્રષ્ટાઓ દ્વારા નિરૂપિત તથ્યોની વ્યાખ્યા કરવામાં તેમણે પણ મુશ્કેલી અનુભવી. ત વનસ્પતિ જીવોમાં બે જ્ઞાન હોય છે: મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. વ્યાખ્યા કારોને મતિજ્ઞાનની વ્યાખ્યા કરવામાં ખાસ મુશ્કેલી ન નડી. કારણ એ જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy