SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૪ આભામંડળ છે કે આત્મા તસ્કૃતીત, પદાતીત અને શબ્દાતીત સત્ય છે અને બીજી બાજુ આપણે તેને તર્ક દ્વારા, પદ દ્વારા અને શબ્દ દ્વારા મેળવવા ચાહીએ છીએ. કેવો વિરોધાભાસ છે આ! જે તકતીત છે તે તર્કથી નહિ પામી શકાય, જે પદાતીત છે તે પદથી નહિ પામી શકાય. અને જે શબ્દાતીત છે તે શબ્દથી નહિ પામી શકાય. આ સંજોગોમાં આપણે એ પરમ સત્તાને એ માધ્યમોથી કેવી રીતે જાણી અને પામી શકીએ? આત્માને આપણે પોતે શોધીએ. આપણે માત્ર શાસ્ત્રો પર, માન્યતાઓ પર નિર્ભર ન રહીએ, પરંતુ તેને સ્વયં શોધીએ. જ્યાં સુધી આપણે ખુદ તેને નહિ શોધીએ ત્યાં સુધી તેના સગડ નહિ મળે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા છે. આ આપણા માટે શાબ્દિક સચ્ચાઈ છે. ધ્યાનનો પ્રયોગ કર્યો, આપણી અંતરચેતનાને જગાડી, સાક્ષાત્કાર કર્યો અને જાણવું કે આત્મા છે તો એ આપણી પોતાની સચ્ચાઈ બની જાય છે, અનુભવની સચ્ચાઈ બની જાય છે. પરંતુ શબ્દોને વાંચનાર માટે એ માત્ર શાબ્દિક સચ્ચાઈ જ બની રહે છે. બાળક પાણીમાં પ્રતિબિંબિત ચંદ્રમાને જુએ છે અને તેને પકડવાનો પ્રયત્ન કરે છે. તે વાસ્તવમાં ચંદ્ર નથી, એ માત્ર તેનું પ્રતિબિંબ છે. શબ્દ પણ એ આત્માનો વાચક છે, પ્રતિબિંબ છે, મૂળ નથી. આપણે જો મૂળને જોવાનો પ્રયત્ન નહિ કરીએ અને માત્ર પ્રતિબિંબને જ જોઈશું તો આપણા હાથમાં પ્રતિબિંબ જ આવશે, મૂળ હાથમાં નહિ આવે. સત્યને શોધવાનો અર્થ જ આ છે કે આપણે પ્રતિબિંબ પર ન અટકીએ. આગળ વધીએ અને મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. એ બની શકે છે કે જેણે આકાશમાં કયારેય ચંદ્ર નથી જોયો, તેને પ્રતિબિંબ જોઈને જિજ્ઞાસા થાય કે મૂળ શું છે? એ પ્રમાણે જેણે આત્માને ન જાગ્યો હોય, તે શાસ્ત્રોમાં આત્માનો શબ્દ વાંચીને જાણવાનો પ્રયત્ન કરે કે આ શું છે? મૂળ શું છે? તો હું કહું કે એ પ્રતિબિબે તેની જિજ્ઞાસાને જાગ્રતા કરી છે. એવું થાય તો એટલી હદ સુધી એ ઉચિત છે. પરંતુ પ્રતિબિંબને જ સર્વસ્વ માનીને બેસી જવું, મૂળની જિજ્ઞાસા જ ન થવી તે ઉચિત નથી. ધ્યાન દ્વારા આપણે પ્રતિબિંબની દુનિયાથી અલગ થઈ મૂળ સુધી પહોંચી શકીએ છીએ. આ એક સશક્ત માધ્યમ છે. આજની સૌથી મોટી સમસ્યા છે, પ્રતિબિંબની સમસ્યા. પ્રતિબિંબોના પડછાયા પર આપણે યાત્રા કરી રહ્યા છીએ. મૂળ તો બાપડું ક્યાંય રહી ગયું છે. બિંબ કયાંક પડયું છે અને પ્રતિબિંબ પૂજાઈ રહ્યું છે. એક માર્મિક કથા છે. એક કલાકારે પોતાની તમામ બુદ્ધિ નિચોવીને એક ચિત્ર બનાવ્યું. તેમાં તેણે એક ગામડાની નારી ચીતરી. ચિત્ર ખૂબ જ મૌલિક હતું. ગ્રામીણ નારી સુંદરતાની પ્રતિમૂર્તિ હતી. સહજ સૌન્દર્ય અને પ્રાકૃતિક સૌન્દર્ય તેમાં ઊતર્યું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy