________________
ધ્યાન શા માટે? ૧૦૩ અચેતનને ચેતન બનાવી દે કે ચેતનને અચેતન બનાવી દે તો માનવું પડશે કે તેણે ઉપાદાનનું પરિવર્તન કર્યું છે. પરંતુ એવું ન થયું છે, ન થશે. આજ વિજ્ઞાનીઓ જે જિન્સ બનાવે છે એ માત્ર પર્યાયોનું પરિવર્તન છે, વ્યવસ્થાનું પરિવર્તન છે, ઉપાદાનોનું પરિવર્તન નથી. આજ સંકર-બાજરો, કલમી આમ થાય છે. આ બે જાતિના સંયોગથી ત્રીજી જાતિનું ઉત્પાદન છે. ખચ્ચર પણ એક ત્રીજી જાતિ છે. એ ન ઘોડો છે, ન ગધેડો. ખચ્ચર ત્રીજી જાતિનું પશુ છે. ચોતરફ મિશ્રણ જ મિઠાણ છે. વનસ્પતિમાં મિશ્રણ, પશુઓમાં પણ મિશ્રણ
આ બધું ઉપાદાનનું પરિવર્તન છે? ના. આ માત્ર નિમિત્તોનું જ પરિવર્તન છે. ન ચેતનામાં પરિવર્તન થયું છે, ન પદાર્થના પુદગલમાં પરિવર્તન થયું છે. માત્ર સાંયોગિક પરિવર્તનથી આમ બન્યું છે. ઉપકરણોમાં પરિવર્તન થઈ જાય છે. રસ અને ગંધમાં પરિવર્તન થઈ જાય છે. એક જ ડાળ પર સફેદ ફૂલ પણ આવે છે અને પીળાં ફૂલ પણ આવે છે. સફેદ ફૂલવાળી અને પીળા ફૂલવાળી – આ બંને જુદી જુદી ડાળોથી આ ડાળ નિર્મિત થઈ છે, જે એક ત્રીજી જાતિ બની ગઈ. આ પણ કંઈ ઉપાદાનનું પરિવર્તન નથી. માત્ર નિમિત્તોનું પરિવર્તન છે. આપણાં શરીર, મગજ, ઇન્દ્રિય અને બુદ્ધિના જેટલા પરમાણુઓ છે તેમાં થોડું જ પરિવર્તન કરવામાં આવે તો બધું જ બદલાઈ શકે છે. રંગ અને આકાર બદલાઈ શકે છે. ગંધ અને રસ બદલાઈ શકે છે. તેને ઉપાદાનનું પરિવર્તન નહિ કહી શકાય. - ડૉ. ઇરવિન ડૉ. સ્વેડિન જેમ્સ કહે છે કે જેઓ પદાર્થ વિજ્ઞાનીઓ છે તેઓ એ વાતમાં લાગ્યા છે કે પદાર્થનો મૂળ કણ શું છે? તેઓ માત્ર આ જ વાતને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ કંઈ બહુ મહત્વનો પ્રશ્ન નથી. મૂળ મૂંઝવણ – કોયડો આ છે કે પદાર્થનું મૂળ ચેતન છે કે અચેતન? ચેતન કે અચેતનની પારસ્પરિક ગૂંચવણને કેવી રીતે ઉકેલી શકાય? વિજ્ઞાન સમક્ષ આ સૌથી મોટો પડકાર છે. વિજ્ઞાન જ્ઞાતાના સંબંધમાં હજી ભ્રાન્ત છે. તેમની સમક્ષ પ્રશ્ન છે કે ચેતન સત્તા છે કે નહિ?
વર્તમાનમાં પદાર્થના વિષયમાં અનેક દૃષ્ટિઓ સ્પષ્ટ થઈ છે. પરંતુ ચેતનના સંબંધમાં હજી પણ ગૂંચવણો છે. એ ગૂંચવણો દૂર નથી થઈ શકતી કારણ ચેતનને જાણવાનો એકમાત્ર ઉપાય છે, સ્વયંનો અનુભવ. પોતાની સંવેદનાનું નિર્મલીકરણ અને ઊર્વીકરણ. આપણે જ્યાં સુધી આપણી સંવેદનાઓને નિર્મળ નહિ કરીએ, રાગદ્વેષ અને મૂચ્છનું જીવન જીવીશું ત્યાં સુધી આત્મા માટેની ધારણા સાચી નહિ બને, ત્યાં સુધી જ્ઞાતાના વિષયમાં નહિ જાણી શકાય. આ જ ધાર્મિક લોકો આત્માનો પ્રશ્ન શાસ્ત્રોના માધ્યમથી ઉકેલવા માગે છે. તર્ક દ્વારા તેનું સમાધાન ચાહે છે. આત્માને વાચિક પ્રયત્નો દ્વારા, સાહિત્ય દ્વારા જાણવા ઇચ્છે છે. ખરેખર આ વિચિત્ર પરિસ્થિતિ છે. એક બાજુ એમ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org