________________
૧૦૦ આભામંડળ કે છોકરો મરી ગયો છે ત્યારે તેણે પૂછપરછ કરાવી કે એ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો?
શેઠ બહાર આવ્યા. તપાસ કરતાં ખબર પડી કે એ છોકરો તો ખુદ એમનો જ સગો પુત્ર હતો!!
હવે શેઠનો જીવ બહાર નીકળવા લાગ્યો: “અરેરે! મારો દીકરો મરી ગયો!!'
પહેલાં પુત્ર ચીસો પાડતો હતો. હવે પિતા ચીસો પાડતો હતો. પુત્ર ચીસો પાડતો હતો ત્યારે તેને શાંત કરનાર શેઠ હતા. હવે શેઠ પોતે ચીસતા – રડતા હતા ત્યારે તેને શાંત કરનાર કોઈ ન હતું.
પ્રશ્ન છે કે દુ:ખ કયાંથી આવ્યું? એ છોકરો મરી ગયો એથી શેઠ દુ:ખી થયા હતા? છોકરો મરી જવાથી શેઠ દુ:ખી થયા હોત તો દસ Aિનિટ પહેલાં જ તે દુ:ખી થાત. મરવાથી – છોકરાના મરણથી કોઈ દુ:ખ નહોતું થયું. તેને ધર્મશાળાની બહાર કાઢી મૂક્યો ત્યારે કોઈ દુ:ખ નહોતું થયું. બાળક પ્રત્યે તેને કોઈ ન સહાનુભૂતિ હતી, ન સંવેદના. તે માત્ર પોતાના અહંકારની પૂર્તિ કરવા માગતો હતો, તે માત્ર પોતાના અહંકારનું પ્રદર્શન કરવા ઇચ્છતો હતો. તેને માત્ર એક જ વિચાર હતો કે પોતાની ઊંઘ ખરાબ ન થાય. પણ જ્યાં તેને ખબર પડી કે આ મારો દીકરો છે તે સાથે જ તેના પર દુ:ખના પહાડ તૂટી પડ્યા.
પ્રસંગની સાથે મન જોડાય છે, ગમા-અણગમાની સંવેદના જોડાય છે ત્યારે એકાએક સુખ કે દુ:ખનો અનુભવ થાય છે. આપણા દુ:ખનું મૂળ ન પરિસ્થિતિ છે, ન પદાર્થ, ન પ્રસંગ. આ બધાં નિમિત્ત બની શકે છે. સુખ અને દુઃખ જ્યાં પેદા થાય છે તે સારી ચેતનશક્તિની અનુભૂતિમાં પેદા થાય છે. આપણે અનુભૂતિની જ બાદબાકી કરી નાખી. માત્ર પરિસ્થિતિવાદ અને ઘટનાચક્ર, માત્ર પદાર્થ પર જ બધો આરોપ ઢોળી દીધો. જ્યાં સુધી મિથ્યા દૃષ્ટિકોણ સમૂળગો દૂર નહિ થાય ત્યાં સુધી દુ:ખોનાં કારણોને દૂર નથી કરી શકાતાં. દુ:ખનાં ઉપાદાનને સમાપ્ત નથી કરી શકાતાં અને દુ:ખને જડમૂળથી ઉખાડી નથી શકાતું.
સમ્યગ્દષ્ટિનો અર્થ છે, મનને ગમા-અણગમાની અનુભૂતિથી મુક્ત કરવું. જ્યાં સુધી આપણું મન ગમા-અણગમાની ચાનુભૂતિથી મુક્ત નથી થતું ત્યાં સુધી આપણને સમ્યગ્દષ્ટિ ઉપલબ્ધ નથી થતી. આપણે મોટાં મોટાં શાસ્ત્રો વાંચી લઈએ, તત્ત્વોનાં નામ કંઠસ્થ કરી લઈએ, તત્ત્વોનું પારાયણ કરીએ, પણ આપણે જો ગમા-અણગમાની અનુભૂતિથી અલગ ન હોઈએ તો આપણને
સમ્યગ્દષ્ટિ ઉપલબ્ધ નથી થતી. આપણી આ સંવેદના જો સમાપ્ત ન થાય કરે તો આપણને સત્ય ઉપલબ્ધ નથી થતું. અને સત્ય ઉપલબ્ધ ન થવાથી તમામ
દુ:ખોને સમાપ્ત કરવાનો કોઈ ઉપાય ઉપલબ્ધ નથી થતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org