________________
ધ્યાન શા માટે? ૯ બની શકે કે ફૂલ અને પાંદડા તોડીને માની લીધું કે વૃક્ષનાં મૂળ ઉખાડી નાખ્યાં. આમ માનવું એ નરી ભ્રમણા છે. ફળ, ફૂલ અને પાંદડા તોડવાં માત્રથી પતી નથી જતું. આપણે મૂળને ઉખાડી નાખવાનું છે, તો જ દ:ખો બધાં જ નામશેષ થશે.
માણસ જડમૂળની વાત નથી વિચારતો. તે માત્ર ઉપર ઉપરનું વિચારે છે. ઉપર જે દેખાય છે તેની વ્યાખ્યા કરે છે. ભીતરની વ્યાખ્યા એ નથી કરતો. આથી ઘણી બધી સમસ્યાઓ અને પ્રશ્નોનું જંગલ ઊગે છે. માણસ ધ્વજ બનવા ચાહે છે, પાયાનો પથ્થર નહિ. માણસ પાંદડાં જુએ છે, મૂળ નથી જોતો. જ્યાં સુધી જડને ન જોવાય, પાયાના પથ્થરને ન જોવાય ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ નથી આવતો.
જે મૂળભૂત સમસ્યા છે તે છે અસ્તિત્વની સમસ્યા. તમામ દુ:ખોની એ જનેતા છે. બધું જ ત્યાંથી આવી રહ્યું છે. રોગ એક દુ:ખ છે, મોત એક દુ:ખ છે. મોત એટલું દુ:ખ નથી જેટલું દુ:ખ મોતના ભયથી છે. જન્મ એટલું દુ:ખ નથી જેટલું દુ:ખ જન્મના ભયથી છે. રોગ એટલું દુ:ખ નથી, જેટલું દુ:ખ રોગના ભયથી છે. આમ આપણે જાણે-અજાણે એક પ્રકારના અજ્ઞાત ભયથી આક્રાન્ત થતા જઈએ છીએ અને એ ભય આપણને સતત સતાવ્યા કરે છે. મોટામાં મોટો બનાવ બને, પણ જો તેની સાથે આપણા મનને ન જોડીએ, સંવેદનને ન જોડીએ તો કોઈ જ દુ:ખ નથી થતું.
એક ખૂબ જ મર્મસ્પર્શી ક્યા છે. પરદેશ ગયાને પિતાને બાર બાર વરસ થઈ ગયાં હતાં. ઘરની યાદ સતાવવા લાગી. તે ઘરે આવવા નીકળ્યો. આ બાજુ બાર વરસનો પુત્ર પિતાની શોધમાં નીકળ્યો. અકસ્માત બંને એકબીજાથી બેખબર એક જ ધર્મશાળામાં ઊતર્યા.
રાત્રે પુત્રના પેટમાં ભયંકર દુખાવો ઊપડ્યો. તે ચીસો પાડવા લાગ્યો. પિતા બાજુની જ રૂમમાં હતા. ચીસોના કારણે તેમની ઊંઘ વારંવાર તૂટી જતી હતી. તેમણે પોતાના નોકરને કહ્યું: ‘જા, એ ચીસો બંધ કરાવ.” નોકર ગયો.
પુત્રની સાથે પણ નોકર હતો. પિતાના નોકરે છોકરાને ચીસો ન પાડવા કહ્યું. પુત્રના નોકરે કહ્યું: ‘બાળક છે, પેટમાં સખ્ત દુખે છે. દુખાવો શાંત થતાં આપોઆપ એ ચૂપ થઈ જશે.'
પણ દુખાવો વધતો ગયો. ચીસો વધતી ગઈ. શેઠ ગુસ્સે થઈ ગયા. તેમણે નોકરને હુકમ કર્યો કે જાઓ, એ છોકરાને ધર્મશાળાની બહાર કાઢી મૂકો. બંને નોકર ગયા અને એ બાળકને સામાન સાથે ધર્મશાળાની બહાર કાઢી મૂક્યો.
બાળકનો દુખાવો વધુ જોરથી ઊપડ્યો અને કલાકમાં તે મરી ગયો. ચીસો હવે સાવ શાંત થઈ ગઈ. શેઠે આરામની ઊંધ લીધી. શેઠને ખબર પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org