SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન શા માટે? ૯૭ યાત્રા ચલાવવા માટે કર્મ પણ કરે છે. તેનું કર્મ અકર્મમાંથી જ નીકળે છે. તેની પ્રવૃત્તિ નિવૃત્તિમાંથી જ નીકળે છે અને તેની સક્રિયતા નિષ્ક્રિયતામાંથી જ ઉત્પન્ન થાય છે. જે કર્મ અકર્મમાંથી નીકળે છે તે ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી હોય છે. જે પ્રવૃત્તિ નિવૃત્તિમાંથી જન્મે છે અને જે સક્રિયતા નિષ્ક્રિયતામાંથી ઉત્પન્ન થાય છે તે નિર્દોષ અને સ્વચ્છ હોય છે. કર્મમાં બધા દોષ એટલા માટે આવ્યા છે કે કર્મ કર્ષમાંથી નીકળે છે. પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિઓ નીકળે છે. જ્યારે કર્મમાંથી કર્મ અને પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ નીકળે છે ત્યારે માણસ માત્ર કર્મમય અને પ્રવૃત્તિમય બની જાય છે. પછી કર્મ તેના માટે સાધન ન બની રહેતાં સાધ્ય બની જાય છે. કર્મ સાધન છે. આપણા જીવનનું તે સાધ્ય નથી. પ્રવૃત્તિ આપણી જીવનયાત્રાનું સાધન છે, સાધ્ય નથી. પરંતુ જ્યારે પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ અને કર્મમાંથી કર્મ નીકળે છે ત્યારે પ્રવૃત્તિ અને કર્મ સાધ્ય બની જાય છે, સાધન નથી રહેતાં. ફરક માત્ર આટલો જ છે કે ધ્યાન કરનાર માણસ કર્મ અને પ્રવૃત્તિને સાધન માને છે. જીવન-યાત્રા કરનાર અને ધ્યાન નહિ કરનાર માણસ કર્મ અને પ્રવૃત્તિને સાધ્ય માની લે છે. આથી જીવનમાં એક ઘણી મોટી ભ્રમણા આવી જાય છે. જીવનની સચ્ચાઈ પામવા આપણે અપ્રયત્ન કરીએ છીએ. આજના વૈજ્ઞાનિક યુગમાં પદાર્થ પર ઘણી શોધો થઈ છે અને આજે પણ એ શોધખોળ ચાલુ જ છે. પદાર્થની પ્રકૃતિને, પદાર્થના અસ્તિત્વના કણેકણને તપાસવા ચકાસવામાં આવે છે. તમામ સંશોધન પદાર્થ પર થઈ રહ્યું છે અને પદાર્થની શોધના ઘણા બધા નિયમ બન્યા છે. વૈજ્ઞાનિક સંશોધન બાદ એક ધારણા ખૂબ જ સ્પષ્ટ બની છે કે પદાર્થ છે. પદાર્થોય છે. તે એક વિષય છે. પરંતુ પદાર્થની પાર કોઈ ન કોઈ જ્ઞેય છે, ન કોઈ વિષય. વિષયી અને વિષય, જ્ઞાતા અને જ્ઞેય, પદાર્થ અને પદાર્થાતીત સત્તા – એ બે બાબત છે. વૈજ્ઞાનિક શોધો બાદ આ ધારણા ખૂબ જ મજબૂત બની ગઈ કે માત્ર પદાર્થ છે, પરમાણ્ છે, પરમાણુઓના સ્કંધ છે. પરંતુ તેની ઉપર ચેતના નામની કોઈ સ્વતંત્ર સત્તા નથી. સ્વતંત્ર શાતાનું કોઈ અસ્તિત્વ નથી. પદાર્થ આજ એટલો મહત્તમ બની ગયો છે કે તેની સામે માણસનું અસ્તિત્વ વિલીન થતું જાય છે. માણસ ગૌણ બન્યો છે અને પદાર્થ મુખ્ય. પદાર્થ સિંહાસન ઉપર બેસી ગયો છે અને માણસ તેના ચરણે હાથ જોડીને બેસી ગયો છે. આમ બનવું સ્વાભાવિક છે, કારણ વિજ્ઞાનીઓ ઉપકરણોના માધ્યમથી, યંત્રોના માધ્યમથી, ભૌતિક સાધનોના માધ્યમથી સંશોધન કરી રહ્યા છે. આ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy