SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ એક ... મનમાં સહેજે પ્રશ્ન થાય કે ધ્યાન શા માટે કરવું? પ્રયત્ન છોડીને અપ્રયત્ન શા માટે? સક્રિયતાને છોડીને નિષ્ક્રિયતા શા માટે? ચેષ્ટાને મૂકીને નિષ્ટ શા માટે? માણસ સામાન્યત: આળસુ હોય છે. મુશ્કેલીથી તે પુરુષાર્થી બને છે. ક્યારેક તેનો પુરુષાર્થ જાગે છે અને એ પ્રયત્ન કરે છે. સંસારમાં પ્રયત્ન કરનારાઓની અપેક્ષા અપ્રયત્નકારોની સંખ્યા ઘણી છે. મહેનત કરનારાઓની સરખામણીમાં મહેનત નહિ કરનારા ઝાઝા છે. પુરુષાર્થીની તુલનામાં આળસુ અને અકર્મણ્ય અનેક છે. આ હાલતમાં આપણે ધ્યાનના બહાના હેઠળ અકર્મણ્યતા તરફ શા માટે જઈ રહ્યા છીએ? શા માટે પ્રયત્ન છોડીને અપ્રયત્નને આવકારી રહ્યા છીએ? આ પ્રશ્ન મનમાં ઊભો થાય છે. સ્વાભાવિક છે આ પ્રશ્ન. આપણે જે પ્રયત્ન અને અપ્રયત્નને બરાબર સમજી લઈએ તો પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. અને એ સમજવામાં તલમાત્ર પણ ભ્રાન્તિ થઈ તો ધ્યાન પ્રત્યે પણ આપણે ભ્રમમાં રહી જઈશું. જીવનની યાત્રા ચાલુ રાખવા માટે પ્રયત્ન છે. આપણો પુરુષાર્થ કે આપણો પરિશ્રમ આ જીવન-નૌકાને હંકારતી રાખવા અને શ્વાસની મર્યાદા નિભાવવા માટે છે. જ્યારે અપ્રયત્ન છે. જીવનની સચ્ચાઈને પામવા માટે. કર્મ છે, જીવનની યાત્રા ચલાવવા માટે અને અકર્મ છે જીવનની સચ્ચાઈ પામવા માટે. પ્રવૃત્તિ છે, જીવનની યાત્રા ચલાવવા માટે અને નિવૃત્તિ છે જીવનની સચ્ચાઈ મેળવવા માટે. જેઓ માત્ર કર્મ કરે છે તેઓ જીવનની યાત્રાને ચલાવી શકે છે પરંતુ જીવનની સચ્ચાઈને તેઓ પ્રાપ્ત નથી કરી શકતા. ધ્યાન કરનારા પ્રયત્નને નથી છોડતા, પરંતુ માત્ર પ્રયત્ન કરનારા ધ્યાનને છોડી દે છે. ધ્યાન કરનારા કર્મને નથી છોડતા, પરંતુ કર્મ કરનારા ધ્યાનને છોડી દે છે. જે માણસ જીવનની સચ્ચાઈ મેળવવા માટે પોતાની યાત્રા શરૂ કરે છે, તે જીવનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy