SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આભામંડળ ગુંજાશ ન રહે ત્યારે શુકલ-લેશ્યા દ્વારા ગરમીનું ઉપશમન કરાય છે અને ત્યારે નિર્વાણની ઘટના બને છે. શારીરિક દૃષ્ટિએ પીળો રંગ' મગજ અને નાડી-તંત્રને બળ આપે છે. જે બાળકની બુદ્ધિ અને યાદશક્તિ નબળી હોય, મગજ મંદ હોય તેને જે પીળા રંગના ખંડમાં રાખવામાં આવે તો તેનામાં ફેરફાર થવો શરૂ થઈ જાય છે. જે માણસ દસ મિનિટ સુધી મગજમાં પીળા રંગનું ધ્યાન કરે છે તેનું બુદ્ધિબળ મજબૂત થતું જાય છે. પીળા રંગનો જે મનોવૈજ્ઞાનિક પ્રભાવ છે તે છે– ચિત્તની પ્રસન્નતા. આજ રંગના વિજ્ઞાનમાં ઘણી શોધો થઈ છે અને એ શોધો હજી ચાલુ જ છે. રંગનું મનોવિજ્ઞાન કહે છે કે પીળો રંગ મનની પ્રસન્નતાનું પ્રતીક છે. તેનાથી મનની નિર્બળતા ઘટે છે અને આનંદ વધે છે. આગમો કહે છે કે પીત-લેશ્યાથી ચિત્ત પ્રશાંત થાય છે, શાંતિ અને આનંદ વધે છે. પીળા રંગથી દર્શનની શક્તિ વિકસિત થાય છે. દર્શન એટલે સાક્ષાત્કાર – અનુભવ. તેનાથી તર્કની શક્તિ નહિ પણ સાક્ષાત્કાર અને અનુભવની શક્તિનો વિકાસ અને વિસ્તાર થાય છે. મનને પ્રસન્ન કરવું, બુદ્ધિનો વિકાસ કરવો, દર્શન-શક્તિને વધારવી, મગજ અને નાડી-તંત્રને સુદૃઢ અને સક્રિય કરવાં–આ બધું કરવું એ પીળા રંગની ક્ષમતા છે. આપણે જો હૃદય-કેન્દ્ર કે આનંદ-કેન્દ્ર પર પીળા રંગનું ધ્યાન કરીએ છીએ, મગજ કે વિશુદ્ધિ-કેન્દ્ર પર પીળા રંગનું ધ્યાન કરીએ છીએ તો અંધકારના રંગો દ્વારા નિર્મિત ટેવો છૂટવા લાગે છે અને નવી ટેવો બનવી શરૂ થઈ જાય છે. લેશ્યા-ધ્યાનનો પ્રયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે. જૈન સાધનાપદ્ધતિનો આ અપૂર્વ પ્રયોગ છે. આ પ્રયોગથી આત્મસાક્ષાત્કારની એક ઝલક મળે છે. ઘણા સાધકોએ આવી ઝલક મેળવી છે. લેશ્યા માત્ર જાણવા, જેવા ને રટવાની વાત નથી, સાધનાની એ પૂરી પ્રક્રિયા છે. સમગ્ર વ્યક્તિત્વને બદલવાની એ પ્રકિયા છે. જે ત્રણ કાળી લેશ્યાઓએ વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે, તે વ્યક્તિત્વને તોડવા-ફોડવા માટે ત્રણ પ્રકાશ-લેશ્યાઓ પૂરી સક્ષમ છે. આ ત્રણ પ્રકાશ-લેશ્યાઓ વ્યક્તિત્વને નવાં રૂપ-રંગ આપે છે. લેશ્યાઓના છ રંગ છે. તેમાં ત્રણ ખરાબ અને ત્રણ સારા છે. ત્રણ પ્રશસ્ત રંગ છે અને ત્રણ અપ્રશસ્ત, કાળો, નીલો અને બૂતરિયો (કાપોત) આ રંગ ખરાબ જ નથી હોતા. આપણે બે ભાગ કરવા પડશે: પ્રકાશના રંગ અને અંધકારના રંગ. કાળો, નીલો અને કબૂતરિયો–આ ત્રણ અંધકારના રંગ છે, જે ખરાબ છે. અને પ્રકાશના કાળા, નીલા અને કબૂતરિયા રંગ સારા છે. એ જ પ્રમાણે અંધકારના લાલ, પીળા અને સફેદ રંગ ખરાબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy