________________
જનધર્મ
ભારતની ધર્મ પરંપરામાં એક પ્રાચીનકાલથી બે પ્રવાહ જોવા મળે છે. (૧) બ્રાહ્મણ પ્રવાહ (૨) શ્રમણ પ્રવાહ, બ્રાહ્મણ પ્રવાહને વિકાસ બ્રહ્મન’ની. આસપાસ થયે અને શ્રમણ પરંપરાને વિકાસ થશમન'ની આસપાસ થા. જૈનધર્મ અને બૌદ્ધધર્મ એ શ્રમણ પરંપરાની પેદાશ હતા. બ્રાહ્મણ પરંપરામાં પરમાત્માની સ્તુતિ, બ્રાહ્મણે અને યજ્ઞાનું મહત્વ વિશેષ હતું. શ્રમણ પરંપરામાં સમાજની સર્વ વ્યક્તિઓને ધાર્મિક ક્ષેત્રે સર્વ અધિકાર હતે. યજ્ઞ અને હિંસાનું મહત્ત્વ ન હતું. આ અહિંસા પ્રધાન ધર્મ હતો. અહિંસા શબ્દમાં શ્રમણ પરંપરાનાં ધર્મભાવના, દર્શન અને તવજ્ઞાનને સમાવેશ થાય છે. બ્રાહ્મણ પરંપરામાંથી વેદધર્મને વિકાસ થયે અને શ્રમણ પરંપરામાંથી જૈન અને બૌદ્ધધર્મને વિકાસ થયો.
આજે આપણે જેને જૈનધર્મ તરીકે ઓળખીએ છીએ તે ઈ. સ. પૂર્વે ૬ઠ્ઠા સૈકામાં મહાવીર સ્વામીના સમયમાં નિર્ગથસંપ્રદાય તરીકે ઓળખાતો હતો. બૌદ્ધ ગ્રંથમાં મહાવીરને નિગૂંથ કહીં નીંદવામાં આવ્યા છે. નિગ્ગથ એટલે જેની સંસારની ગ્રંથી છૂટી ગઈ છે તે. આ પ્રકારના મનુષ્યો પિતાના મન અને વાણ પર કાબૂ ધરાવતા હતા. સમય જતાં આવા મનુષ્યો “જિન” કહેવાયા.
“જિન” શબ્દ ઉપરથી જૈન શબ્દ બનેલો છે. એ રાગદ્વેષ આદિ સર્વ દેથી રહિત એવી વિભૂતિઓનું નામ છે. જિન શબ્દ જિ-જીતવું પરથી બને છે. એટલે કે જેણે મન, વાણી અને કાયા પર કાબૂ મેળવ્યું છે તે વિતરાગી પુરુષ. અર્હમ્, વીતરાગ, પરમેષ્ઠી વગેરે “ના” શબ્દના પર્યાય શબ્દ છે. અહિંત એટલે અંદરના શત્રુઓ ઉપર કાબૂ મેળવ્યો છે તે. જિનના ભક્તો જૈન કહેવાયા અને “જિન” પ્રતિપાદિત ધર્મ તે જૈનધર્મ તરીકે ઓળખાવા લાગ્યો.
અહંત તરીકે ઓળખાતા મહાપુરુષે તીર્થકર તરીકે ઓળખાય છે. આ અહં તે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાધુ-સાધવીઓના સમૂહને ઉપદેશ આપવાનું કાર્ય કરે છે. શ્રાવક-શ્રાવિકાઓના બનેલા આ સંધને “તીર્થ' કહે છે અને તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org