SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય એ મદારીએ નાગને લઈને કેક ઠેર ઊમટી પડે છે. ભાવિકે નાગની પ્રેમથી પૂજા કરે છે. કેટલેક ઠેકાણે ચેમાસામાં નદીમાં પૂર આવતાં નદીને વધાવવાને ઉત્સવ ઊજવાય છે. આ વખતે ગામને નગરશેઠ લેકસમૂહ સાથે નદીએ જઈ વિધિપૂર્વક જળદેવતાની પૂજા કરે છે. આની પાછળની માન્યતા એવી છે કે નદીને વધાવી દેવાથી પૂરના પાણી ઓસરી જાય છે અને ગામને નુકશાન ન થાય. ગંગા, યમુના વગેરે નદીના કાંઠે રહેનાર લેકે વિવિધ રીતે નદીનું પૂજન-અર્ચન કરી આત્મસંતોષ માને છે. ઘણે ઠેકાણે પર્વના દિવસોએ ગિરિપૂજન અને ગિરિની પરિક્રમાને મહિમા જેવામાં આવે છે. કાર્તિક માસમાં સૌરાષ્ટ્રમાં ગિરનારની પરિક્રમા કરવાને વિશેષ મહિમા જોવા મળે છે. આ વખતે અનેક લેકે સામાજિક ભેદભાવ ભૂલીને ગિરનારની યાત્રા કરે છે. ભારતનાં વણવ તીર્થો: મથુરા,ગોકુલ, વૃંદાવનની આસપાસના પ્રદેશમાં ગિરિરાજ ગોવર્ધન પર્વતની પૂજાનું મહત્વ વિશેષ છે. ભારતના ખૂણે ખૂણેથી વેણ આ સ્થળે આવી લીલી પરકમાં નામે ઓળખાતી યાત્રામાં શ્રદ્ધાપૂર્વક જોડાય છે. પ્રાચીનકાળમાં કાંકણાદિ પ્રદેશમાં રોજ સાંજના ગિરિયજ્ઞ નામે ઉત્સવ થતો હોવાનો ઉલ્લેખ જૈન આગમ ગ્રંથમાંથી મળે છે. ઘણે ઠેકાણે ગ્રામદેવતાની પૂજા થતી જોવા મળે છે ૩. સંદર્ભગ્રંથ અમીન, જી. પ્ર. શૈવધર્મને સંગમ અને વિકાસ, અમદાવાદ. ૧૯૭૫ આચાર્ય, નવીનચંદ્ર. આ. ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ મહેતા, નર્મદાશંકર. દે. શાક્તસંપ્રદાય, મુંબઈ. ૧૯૩૨ શાસ્ત્રી, દુર્ગાશંકર. કે. (૧) શૈવધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ. ૧૯૩૬ (૨) વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ, મુંબઈ. ૧૯૩૯ શાસ્ત્રી, હ. ગં, પ્રાચીન ભારત ભા.-૧, અમદાવાદ. ૧૯૬૯ Bhandarkar, R. G. Vaisnavism, Saivism and Minor Religious Systems (Re-Print), Varanasi. 1965 Pathak, v. s. Saiva Cults in Northern India, Varanasi. 1960 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy