SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો પરમાત્માનું સ્વરૂપ તે વિષ્ણુ. ભારતમાં વિષ્ણુપૂજાને સંપ્રદાયનું સ્વરૂપ પૈરાણિક યુગમાં મળ્યું હોય તેમ જણાય છે. શિલાલેખોને પુરાવા આપણને ભારતીય યવન એલચી હિલિડોરસને મળે છે. આ એલચીએ વૈષણવધર્મ સ્વીકાર્યો હતો અને ભગવાન વાસુદેવના માનમાં બેસનગર આગળ એક ગરુડખંભ ઊભે કર્યો હતો. મહાભારતના નારાયણ પર્વમાં આપણને આ સંપ્રદાયનું અસલ સ્વરૂપ જોવા મળે છે. નારદના એક પ્રશ્નના જવાબમાં અહીં ભગવાન પોતે તેને જણાવે છે કે હું મારી પ્રકૃતિની ઉપાસના કરું છું. તે સત અને અસતની જન્મદાતા છે. મહાભારતના એક પ્રકરણુ ભગવદ્ગીતામાં તે ભક્તિ ભારોભાર જોવા મળે છે. તે જ્ઞાન અને કર્મ કરતાં ભક્તિયોગશાસ્ત્ર છે એમ કહેવું વધારે યોગ્ય છે. વૈષ્ણવ સંપ્રદાયનું મૂળનામ “પાંચરાત્રસંપ્રદાય છે. એ સંપ્રદાયને વ્યવસ્થિત કરવાનું માન રામાનુજને પ્રાપ્ત થાય છે. આ પાંચરાત્રસંપ્રદાય પૌરાણિક યુગ જેટલે પ્રાચીન છે. આ સંપ્રદાયનું મૂળ ભગવદ્ગીતામાં છે. આ સંપ્રદાયમાં શરૂઆતમાં વાસુદેવપૂજા પ્રચલિત હતી. વાસુદેવપૂજા એટલે કૃષ્ણપૂજા કૃષ્ણ કોણ હતા ? આર્ય કે અનાર્ય ? તેઓ એતિહાસિક વ્યક્તિ હતા કે કાલ્પનિક ? તેઓ ગેપ હતા કે ક્ષત્રિય વગેરે પ્રશ્નો આજદિન સુધી ચર્ચાતા રહ્યા છે. રામાનુજના સંપ્રદાયમાં વાસુદેવપૂજા જોવા મળે છે. આગળ જતાં તેમાંથી કૃષ્ણપૂજા, રાધાકૃષ્ણપૂજા, વિષ્ણુપૂજા અને વિષ્ણુના અવતારની પૂજા પ્રચારમાં આવેલી એમ કહી શકાય. વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રેમલક્ષણાભક્તિને વધારે મહત્ત્વ અપાય છે. અહીં ભક્તો મેક્ષની અપેક્ષા રાખતા નથી પણ જન્મોજન્મ હરિસેવા અને દર્શન ઈચ્છે છે. પાછળના આચાર્યોએ અને સતિએ ભક્તિરસને કેન્દ્રમાં રાખી પિતાના સંપ્રદાયો વિકસાવ્યા છે. વણવધર્મને ઇતિહાસ જોતાં આપણે કહી શકીએ કે ભક્તિરસમાંથી શૃંગારરસ અને તેમાંથી ક્યારેક વિલાસ જન્મે છે. દેવદાસીસંપ્રદાય આને નમૂને છે. ગુપ્ત રાજવીએાએ વણવધર્મને રાજ્યાશ્રય આપે હોઈ ગુપ્તકાલ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાયને પૂર્ણપણે વિકાસ થયો. ગુપ્ત રાજવીઓ પિતાને “પરમ ભાગવત તરીકે ઓળખાવે છે. પ્રાચીન વેદધર્મની અસર નીચે આખો સમાજ યજ્ઞયાગ અને કર્મકાંડથી રંગાયેલે હતો ત્યારે વ્યવહારુ બેધ આપવાનું કાર્ય વૈષ્ણવસંપ્રદાયે કર્યું. બીજા કોઈ પણ સંપ્રદાય કરતાં આ સંપ્રદાય સામાન્ય જનતામાં નીચેના કારણે સર કપ્રિય બન્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy