SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય) ૭૭૨ ભારતીય પ્રજામાં તીર્થયાત્રાનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. દરેક હિંદુ. જીવનમાં એકવાર શૈવધર્મનાં નોંધપાત્ર તીર્થધામો હિમાલયમાં આવેલ કેદારનાથ, સોરાષ્ટ્રમાં આવેલ સોમનાથ, મહારાષ્ટ્રમાં આવેલ નાસિક-ત્રંબક, મધ્ય પ્રદેશમાં આવેલ ઉજૈન તથા ઉત્તર પ્રદેશમાં આવેલ કાશી અથવા બનારસ વગેરે સ્થળે. જવાની મહત્વાકાંક્ષા સેવતા હોય છે. ભારતમાં આવેલ બાર જ્યોતિલિગેની યાત્રા મહત્તવની મનાય છે. સમાજમાં ઘણા તહેવાર શૈવસંપ્રદાયને અનુસરીને ઊજવવામાં આવે છે. મહાશિવરાત્રી, ગણેશચતુર્થી, ગૌરીપૂજ, શ્રાવણ માસ વગેરેનું મહત્વ સમગ્ર ભારતમાં હીલ પણ જોવામાં આવે છે. શિવપુરાણનું મહત્ત્વ સમાજમાં સવિશેષ જોવા મળે છે. ભારતીય સમાજમાં શિવનાં વિવિધ સ્વરૂપો જેવાં કે ગજાસુર સંહારક, ત્રિપુરાન્તક, ઉમા-મહેશ્વર, કિરાતાજુનિયસ્વરૂપ, ભૈરવ, મહાકાલ, દક્ષિણામૂર્તિ,. નટરાજ, અર્ધનારીશ્વર વગેરે પૂજાતાં હોવાથી તેની વિવિધ પ્રતિમાઓ ભારતમાં, અનેક સ્થળે એ જોવા મળે છે. વૈિષ્ણવ સંપ્રદાય ભારતને ધાર્મિક ઈતિહાસ જોતાં જણાય છે કે ભારતમાં ભક્તિમાર્ગની પરંપરામાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય એ બે મુખ્ય ધારાઓ ટકી રહી છે. ભારતમાં ભક્તિમાર્ગને પ્રચાર વેદકાલથી શરૂ થયે એમ શાસ્ત્રગ્રંથે જોતાં જણાય છે. વળી ભારતમાંથી પ્રાક વેદકાલીન જે અવશેષો મળ્યા છે તે જોતાં એમ કહી શકાય. કે વેદકાલ પહેલાં પણ ભારતમાં દેવીપૂજા, પશુપૂજા, પ્રકૃતિપૂજા વગેરે પ્રચલિત હશે. વેદમાં વિવિધ દેવદેવીઓને ઉદ્દેશીને કરાયેલી પ્રાર્થનાઓમાં આપણને ભારતીય ભક્તિનું પ્રથમ સપાન નજરે પડે છે. વેદની દેવસૃષ્ટિમાં દેવોને સંબંધ કુટુંબભાવથી જોડવામાં આવ્યું છે, તેથી દેવોને પિતા, માતા, સખા વગેરે કુટુંબભાવથી ભજવામાં આવે છે. બ્રાહ્મણગ્રંથમાં યની ભાવના દ્વારા દે પ્રત્યેની ભક્તિ પ્રગટ કરવામાં આવી છે. ઉપનિષદમાં ઈશ્વર પ્રત્યેની સગુણ અને નિર્ગુણ ભક્તિ જોવા મળે છે. અહીં ભક્તિ શબ્દ શ્રદ્ધાના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. ભક્તિ શબ્દ “મન” ધાતુ સાથે સંબંધ ધરાવે છે અને તેને અર્થ કેઈને આશ્રય લે એવો થાય છે. ભક્તિ શબ્દમાં “આશ્રય” અને “પ્રેમ” એમ બે બાબત રહેલી છે. વૈષ્ણવ સંપ્રદાયના પાયામાં વિષ્ણુભગવાનની ભક્તિ રહેલી છે એમ કહી શકાય. ત્રાગ્યેદમાં આપણને વિષ્ણુને ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ” શબ્દ સંસ્કૃત ધાતુ “વિશ” એટલે વ્યાપવું ઉપરથી બને છે. જગતમાં વ્યાપીને પ્રકાશનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy