________________
૭૬
ભારતીય ધમે
ગુજરાતના કચ્છમાં ભૂજથી લગભગ ૪૫ કિ.મી. દૂર ધીણેધર નામે ગામમાં -નાથસંપ્રદાયને એક મઠ આવેલ છે. આ મઠના સાધુઓ “કાનફટ્ટા' તરીકે ઓળખાય છે. કાનફટ્ટા સંપ્રદાયને પાશુપતસંપ્રદાયને ફાંટ માનવામાં આવે છે. આ સંપ્રદાયના સાધુઓના નામને છેડે “નાથ” શબ્દ પ્રયોજવામાં આવે છે. દા. ત. ધરમનાથ, શરણનાથ, ગરીબનાથ, પંથનાથ વગેરે. આ પંથના ઉપાસ્ય દેવ ભૈરવ છે. અહીં ભૈરવની સમક્ષ આ પંથમાં દાખલ થનારના કાન વીંધવામાં આવે છે. - આ પંથના સાધુઓ કુંડલ, કિંગદરી, મેખલા, ભંગી, ધંધારી, રુદ્રાક્ષ, અધનરી, કથા, દંડ, ખપ્પર, ભસ્મ, ત્રિપુંડ વગેરે ધારણ કરે છે. અહીં વેગને ખાસ મહત્વ આપવામાં આવે છે. વધર્મની ભારતીય સમાજ પર અસર
પ્રાચીનકાલથી ભારતીય સમાજમાં શૈવધર્મનું મહત્ત્વ ટકી રહ્યું છે. સમાજમાં વિવિધ જ્ઞાતિઓનાં મનુષ્યનામ, સ્થળનામે, તહેવારે વગેરેમાં શૈવ“ધર્મની અસર વર્તાય છે. ભારતના બ્રાહ્મણને વિશાળ વર્ગ શૈવધર્મને અનુયાયી છે. શિવાલયમાં જઈ શિવલિંગ પર જળ ચઢાવી પૂજા કરે છે. ભારતીય સમાજમાં રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જપ લઘુરુદ્ર વગેરેનું મહત્વ વિશેષ છે. શૈવસંપ્રદાયમાં શ્રાવણ માસનું મહત્ત્વ સવિશેષ છે. તે વખતે શિવમહિમ્ન સ્તોત્રનું પઠન, અભિષેક, લઘુરુદ્ર વગેરે દ્વારા આખે શ્રાવણ માસ લેકે શિવનું સ્તવન કરે છે. ધણું લેકે પંચાયતન દેવોની પૂજા કરતા હોય છે. તેમાં શિવ કેન્દ્રસ્થાને હોય છે.
ક્ષત્રિમાં ઘણું કુટુંબે શૈવધર્મ પાળે છે. ક્ષત્રિય રાજવીઓએ શૈવધર્મને રાજ્યાશ્રમ આપેલ હોઈ ભારતમાં અનેક સ્થળોએ વિશાળ શિવાલયે બંધાયાં છે. વિશાળ અને કલાત્મક શિવાલયે બાંધવામાં પ્રાચીનકાળમાં માળવા, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજવીઓએ મહત્વને ભાગ ભજવ્યું હતું. મધ્યકાલમાં ક્ષત્રિય યુદ્ધ વખતે હર હર મહાદેવને નારે લગાવી યુદ્ધ કરતા હતા.
સમાજમાં પણ પ્રચલિત નામમાં શૈવધર્મની અસર વર્તાય છે. ઘણી રાજવીઓના નામમાં શિવ અને રુદ્ર શબ્દ જોવા મળે છે. દા. ત. શિવસિંહ, શિવરાજ, શિવાજી, રુદ્રસિંહ, રુદ્રસેન વગેરે ઘણું બ્રાહ્મણોનાં નામ શિવ સાથે જોડાયેલ મળે છે. દા. ત. કરુણાશંકર, જટાશંકર લંબેદર, શિવનારાયણ, કેદારનાથ વગેરે. સ્ત્રીઓનાં નામમાં પણ શૈવધર્મની અસર વર્તાય છે. દા. ત. પાર્વતી, ગૌરી, વિજયા, અન્નપૂર્ણ. “ઘણુ સ્થળનાં નામે ઉપર પણ શૈવસંપ્રદાયની અસર વર્તાય છે. દા. ત. કેદારેશ્વર, બીશ્વર, વ્યંબકેશ્વર, થાણેશ્વર, સોમનાથ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org