________________
હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય)
આ મતમાં પરબ્રહ્મ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ શિવતત્ત્વ છે એમ મનાય છે. શિવતવને આ મતમાં સ્થલ તરીકે ઓળખવામાં આવે છે. સર્વ શિવતત્વમાં અસ્ત પામે છે. લિંગસ્થલ એ શિવ અથવા પૂજ્યનું રૂપ છે. લિંગ એ શિવનું ચિહ્ન માત્ર નથી, પણ સાક્ષાત શિવસ્વરૂપ જ છે. તેના ત્રણ પ્રકાર છે: (૧) ભાવલિંગ (૨) પ્રાણલિંગ અને (૩) ઇષ્ટલિંગ. ભક્તિ સર્વ જીવાનું લક્ષણ છે.
લિંગાયત અસ્પૃશ્યતામાં માનતા નથી. તેઓમાં મડદાને દાટવાનો રિવાજ છે.. તેઓ સૂતક, પિંડદાન વગેરેમાં માનતા નથી. તેઓ માંસાહાર કરતા નથી. બાળવિવાહ કરતા નથી. વિધવાઓને પુનર્લગ્નની છૂટ આપે છે. રજસ્વલા સ્ત્રીઓને તેઓ અસ્પૃશ્ય ગણતા નથી. વીર શૈવોની નિત્ય ધાર્મિક ક્રિયામાં ગળાની આસપાસ બાંધેલ ઈષ્ટલિંગની પૂજા મુખ્ય છે. (૬) નાથ સંપ્રદાય
આ સંપ્રદાયના સાધુઓના નામને અંતે “નાથ” શબ્દ પ્રયોજાતે. તેમને સંપ્રદાય નાથસંપ્રદાયના નામે ઓળખાતું. કેટલાક તેને “ગસંપ્રદાય તરીકે ઓળખાવે છે, જ્યારે કેટલાક તેને કાપાલિક સાથે સંબંધવાળે શૈવસંપ્રદાય. તરીકે ઘટાડે છે.
નાથ” એટલે અનાદિ ધર્મ નાથ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી' કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. પ્રાચીનકાળમાં આ સંપ્રદાય “સિદ્ધમત’ને નામે ઓળખાતું તેથી તેના ગ્રંથે સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ગોરખનાથરચિત હઠયોગ, ગોરક્ષશતક તથા હઠયોગપ્રદીપિકા. ઘેરડસંહિતા અને શિવસંહિતા નામના ગ્રંથે આ સંપ્રદાયના નોંધપાત્ર ગ્રંથ છે.
આ પંથના મુખ્ય નવ આચાર્યો મનાય છેઃ (૧) ગોરક્ષનાથ (૨) નાગાર્જુન (૩) દત્તાત્રેય (૪) જડભરત (૫) મધ્યેન્દ્રનાથ (૬) જલંધરનાથ (૭) સહસ્ત્રાર્જુન (૮) દેવદત્ત (૯) આદિનાથ. આમાંના ગોરક્ષનાથ, મત્યેન્દ્રનાથ, જલંધરનાથ અને આદિનાથ તાંત્રિક સિદ્ધોમાં અને તિબેટની સિદ્ધ પરંપરામાં જાણીતા છે. નવ નાથે, કાપાલિકાચાર્યો. જ્ઞાનનાથ સુધીના ગુરુસિદ્ધ અને વર્ણરત્નાકર ઉલ્લેખિત ચેરાસી નાથ-સિદ્ધોની પરંપરા ગણીએ તો તેરમી સદીના અંત સુધીમાં લગભગ સો જેટલાં નામ ઉપલબ્ધ છે. પંજાબ અને નેપાળમાં નાથસંપ્રદાયનાં અનેક મંદિરો આવેલાં છે. કેટલાંક મંદિરમાં ગોરખનાથ શિવરૂપે પૂજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org